________________
થદનબાળાની આ જન્મભૂમિ હતી. ચૌદપૂવ શર્થભવસરિજીને પિતાના પુત્ર મનક મુનિ માટે “દશવૈકાલિકસૂત્રની રચના કરવાનું પવિત્ર વાતાવરણ આ ભૂમિમાં જ પ્રાપ્ત થયું હતું.
આ ભૂમિને મહિમા તે એથીયે આગળ વધીને કહે છે? એક કાળે જ્યાં સત્ય અને શિયળને પ્રભાવ ધારી અસર કરી શકતે એના પુરાવારૂપે રુદન શેઠ, જેમને શળીએ ચઢાવવાનું ફરમાન થયું હતું છતાં તેમની સચ્ચાઈના પ્રભાવે એ કાળમુખી શળીના સ્થળે પુષ્પ વધાવાને ઝીલતું સિંહાસન રચાયું અને સતી સુભદ્રા, જેણે શિયળના પ્રભાવથી ચંપાના દરવાજા ઉઘાડ્યા હતા–એવી ઉદબાધક ઘટનાઓ આ ભૂમિમાં જ બની ગયેલી, જેને આજ સુધીના કવિઓએ પોતાની વાણીમાં ગૂથી દઈ અમર બનાવી રાખી છે. શ્રી સોભાગ્યવિજયજી કહે છે – હણ નગરી સુદર્શન સારરે, રહા પ્રતિમાકાઉસગ્ગ દ્વાર અભય દાસી લેવાય છે, રાણીને વૅ મન લાય રે. ન ચા બ્રાચારી ચિત્ત રે, રાખી જગમાહિકિત રે, શળી સિંહાસન થાય રે, રાજાદિક પ્રણમે પાય રે. થઈ સુભદ્રા નારી રે, ઉઘાડયાં ચંપાબાર રે, ચાલણિ કાહ નીર રે, ઈણ ચંપાનગરી ધીરે રે.”
વિવિધતીર્થકલપકાર કહે છે: “સુભદ્રા સતીએ ચંપાનાં ત્રણ દ્વાર ઉઘાડ્યાં અને ચોથે દરવાજે “મારા જેવી કોઈ બીજી પવિત્ર સ્ત્રી હશે તે ઉઘાડશે ” એમ કહીને બંધ રહેવા દીધે. તે દરવાજે ઘણા કાળ સુધી બંધ જ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org