SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ પૂ. ભા. જે. તીર્થભૂમિએ મગધ દેશની રાજધાની બનવાનું સૌભાગ્ય જે નગરીને પ્રાપ્ત થયું હતું તે ક્યાં અને હાલનું આ ગામડું કયાં ? ખરેખર, જેમ મહરિએ એક ઘરનાં વસતા અનેક મનુષ્યના બદલે એકને જોઈને ઉદ્દગાર કાઢેલા યંત્રને પરિવાર દે રતિષ્ઠત્યા તેવી રીતે કાળના ભરતી-ઓટનું ચક અહીં ફરી વળેલું પ્રત્યક્ષ અનુભવાય છે. આ ગામડાને જોતાંવેંત ઈતિહાસની અનેક ઘટનાઓ આંખ સામે નાચવા માંડે છે. ઈતિહાસ કહે છે કે, રાજગૃહ જેવી સમૃદ્ધ નગરીમાં પિતાના મૃત્યુ પછી રહેવાનું ત્યારે કુણિકને અસહ્ય થઈ પડ્યું અને જૂની ચંપાને શતાનીક રાજાએ તેડી નાખી ત્યારે કણિકે ગંગાના કિનારે નવી ચંપાનગરી વસાવી અને મોટી મોટી અટ્ટાલિકાઓ, કરસમા કોટિપતિઓ, વિચક્ષણ પંડિતો અને મહાત્મા પુરુષના મહિમાથી ગાજતી કરી મૂકી. આ નગરીમાં જ શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં પાંચ કલ્યાણકે થયાં હતાં. પાંચ કલ્યાણકે એક જ સ્થળે બન્યાં હોય એવાં સ્થળ બહુ ઓછાં હોય છે અને તેથી આ નગરીને તીર્થ તરીકે મહિમા વધી જાય છે. ભગવાન મહાવીરે આ નગરીની ભૂમિને પિતાના ચરણ કમળથી કેટલીયે વખત પુનિત બનાવી હતી. ગૌતમસ્વામીના શિષ્ય સાલ અને મહાસાલ જેવા મહાત્માઓનું કૈવલ્યધામ આ નગરીમાં જ હતું. ભગવાન મહાવીરના કુબેરસમા ભક્ત શ્રાવક કામદેવનું નિવાસસ્થાન અહીં જ હતું. સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાલ, કુમારનંદી સુવર્ણકાર, અને પ્રભાતમ્મરણયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy