________________
પૂ. ભા. જે તીર્થભૂમિએ શાળા છે. તે સિવાય બીજી એક ધર્મશાળા પણ જેનોની છે. બંનેમાં જૈન યાત્રાળુઓને બધી સગવડ મળે છે.
મુર્શિદાબાદના પતન પછી ત્યાંને કળાવૈભવ અહીં નેવે સ્વરૂપે ઊભરાવા લાગ્યા અને ત્યારથી મોટા મોટા સુપ્રસિદ્ધ લખપતિ જેને અહીં વસવા માંડયા. રા. બ. ધનપતિ સિંહજી, . બ. બુદ્ધિસિંહજી દૂધેડિયા, રાજા વિસિંહજી દૂધેડિયા, રા. બ. સીતાપચંદજી નાહરના વંશજો અને નવલખાવાળા મહાધનાઢયોના અશ્વયથી આજે આ શહેરની શેભા. વૈવિધ્યભરી બની ગઈ છે. આ જાગીરદાર બાબુઓના આલીશાન પ્રાસાદ અને બાગબગીચાઓ જોઈને કેક વૈભવી ભૂમિમાં આવી પડ્યા હોઈએ એ ભાસ થાય છે અને આ લખપતિઓની ધર્મશ્રદ્ધા તો તેમણે રચવેલાં દશ જેને મંદિરોમાં ભરી દીધેલી કળાલક્ષમીને જોતાં કલ્પનામાં આવી જાય છે.
અજીમગંજના બજારમાં જતાં (૧) શ્રી નેમિનાથ ભગ વાનનું મંદિર છે. તેમાં સ્ફટિકની દશેક સ્મૃતિઓ છે. (૨) શ્રીબુદ્ધિસિંહજીએ બંધાવેલું શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. (૩) શ્રીસુમતિનાથ ભગવાનનું મંદિર, શ્રી સીતાપચંદજી નાહર બંધાવેલું છે. (૪) શ્રી પદ્મપ્રભ જિનેશ્વરનું મંદિર,(૫) શ્રીધેડિયાએ બંધાવેલું ધાતુ-બિંબનું ઘર-દેરાસર, (૬) શ્રીહરખચંદજી ગુચ્છાએ બંધાવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. તેમાં સ્ફટિકનાં બિંબે ૧૫, તારામંડળનાં ૩, નીલમનાં ૩, ગેમીદ પીરાજા વગેરેનાં પ, કસોટીનાં ૩ બિંબ અદભુત પ્રભાવશાળી અને દર્શનીય છે. (૭) બાબુ અધિનપતિસિંહજીએ બંધાવેલું શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org