________________
પૂ. ભા. જ. તીર્થભૂમિએ અઢારમા સૈકાના નિહાલ નામના જૈનયતિએ રચેલી “બંગાલદેશકી ગઝલમાં મુર્શિદાબાદની તત્કાલીન આબાદીનું સુંદર રેખાચિત્ર દોરેલું મળે છે અને તેમાં ત્યાંના નવાબ શુજાખાનની રાજનીતિની ખૂબ પ્રશંસા પણ કરી છે. કવિ કહે છે: “નવાબના રાજ્યમાં લોકો ખૂબ સુખી હતા. દુખિયાને એ વિસામે હતે. હિંદુ કે મુસલમાન બધી પ્રજા એનાથી સંતુષ્ટ હતી. એટલું જ નહિ નવાબના આયુષ્ય, પરિવાર અને સમૃદ્ધિની આબાદી વધતી રહે એવા દિલના આશી. વદથી પ્રજા એને નવાજતી એક મુસ્લિમ નવાબના વિષયમાં એક હિંદુ કવિનું આવું ઔદાર્યભર્યું કથન પ્રમાણિક હવા વિશે ભાગ્યે જ શંકા રહે.
અહીં મોટી મોટી હવેલીએ બનેલી છે. મંદિરે, મજિદો અને ધર્મશાળાઓને પાર નથી અને કેટલાયે કટલા, કાટ અને ટંકશાળ વગેરે છે. અહીંના બજારમાં દેશદેશાવરના શાહ-સોદાગરની ઠઠ જામેલી રહેતી. દુનિયાની હરેક ચીજ અહીંના બજારોમાં ઠલવાતી.
જગતસેઠ માણેકચંદજીનું વિશ્રામધામ પણ ભવ્ય અને રમણીય છે. તેમાં મંદિર, મહેલ અને તળાવ બનેલા છે. રાવ કે રંક સૌને માટે આ સ્થળ દર્શનીય છે.
જગતશેઠની સાથે અહીંના નવાબોને ઘનિષ્ટ સંબંધ હતો અને તેમની સંપત્તિ અને બુદ્ધિના સહકારથી જ પિતાની નવાબીની સમૃદ્ધિ તેઓ વધારી શકયા હતા. એ સમયે અહીં કેટલાયે કેટિqજેની ઉભરાતી લક્ષમીની છે ઉડાડતી હોય તેવી ધજાઓ ફરકી રહી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org