________________
૬૦
પૂ. ભા. જૈ. તીર્થભૂમિએ હતો. આ દેશ કે પરદેશમાં કસોટીનું આવું કળામય મંદિર બંધાવવાની કલપનાસમૃદ્ધિથી જાણે કુદરત સામે બાથ ભીડી રહ્યું હોય એવું આ મંદિર અજોડ ગણતું. કહેવાય છે કે, આવા અનુપમ મંદિરમાં હીરા, પન્ના અને નીલમની ભગવાનની પ્રતિમાએ શોભતી હતી.
પરંતુ જાણે કુદરતને સહેવાયું ન હોય તેથી ગંગાના પ્રચંડ પૂરની સંહારલીલામાં આ બધી સ્વર્ગીય સામગ્રી ભરખાઈ ગઈ. ભક્તિરસને આ કરુણ અંજામ વિલાપમાં પલટાઈ ગયો. છતાં બચી રહેલાં અવશેષેમાંએ એની ભૂતકાલીન રમણીયતા તેમજ બંધાવનારની સંસ્કારભાવના અને ધર્મશ્રદ્ધા કેવી ઉદાત્ત હશે એને ઝાંખી થયા વિના રહેતી નથી. એગ્ય હાથમાં વરેલી લક્ષમી માટે કોઈ પણ માનવીનું હદય ધન્યવાદ પોકારી ઊઠે છે.
આવા કરુણ અંત પછી જાણે કંઈ જ બન્યું ન હોય એમ પાછળથી તેમણે બીજા ભવ્ય પ્રાસાદો બંધાવ્યા તે આજે ઊભા છે. એમાં એમના વંશજો વસે છે. તેની પાસે એક જૈનમંદિર બંધાવેલું છે, જેમાં એ પ્રાચીન મંદિરની મૂતિઓ અને બીજી કેટલીક સામગ્રીને ઉપયોગ કરે જેવાય છે.
પહેલાંની એ ભવ્યતા આજે તે આ ભૂમિને ભારે મારી રહી હોય એમ શરમાતી જોવાય છે. નરસિંહપુરા:
મહિમાપુરથી છેક આગળ ચાલતાં “નરસિંહપુરા નામનું ગામ આવે છે. અહીં રાજાને મહેલ દર્શનીય છે. કેટલાંક હિંદુ મંદિરો અને ધર્મશાળાઓ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org