________________
બાહુચર બાવલાં, વાવડી, તળાવ અને લતામંડપથી શણગારેલા વૈવિધ્યભરી રચનાવાળા ઉદ્યાનમાં બાબુ શેઠના રાજશાહી ઠાઠથી ભભકતા ભવ્ય મંગલાઓ ઉન્નતપણે ઊભા છે. છતાં પહેલાં જે ઉભરાતી શોભા હતી તે આજે જોવા મળતી નથી. જાણે પથારે કરી પડેલી ચેતના વિનાની વેશન શાંતિ અનુભવાય છે. મહિમાપુરઃ
કટલાથી અડધે માઈલ દૂર “મહિમાપુર” નામનું પરૂં છે. શ્રીનિહાલ નામના જેન યતિએ લગભગ અઢારમા. સૈકાના ઉત્તરાર્ધમાં રચેલી બંગાલ દેશકી ગઝલમાં મહિમાપુરનું વર્ણન આ રીતે કર્યું છે –
મહિમાપુર મહાઅબાદ, જિહાં જિનધરમકા વરસાદ, જિહાં જગતશેઠજી સેઠ, આવૈ ખલક કાકી ભેટ, દીજે દાન જાકે દ્વાર, જાચિક કરે છે જેકાર.” | લક્ષમીદેવીના લાડકવાયા કુબેરપતિ જગત શેઠ એમના સમયમાં ઐશ્વર્યના અધિકારથી બંગાલના નેતાજ બાદશાહ ગણાતા. એમના નામ. સર્વત્ર હાક વાગતી. રાજાઓ, પરદેશીઓ, સોદાગરો અને યાચકેની એમને ત્યાં હમેશાં ભીડ જામેલી રહેતી. એમના ગુણાનુવાદથી અહીંનું વાતાવરણ ગૂંજતું રહેતું.
ગંગાના કિનારે તેમણે રહેવાની મોટી હવેલીઓ ઊભી કરી હતી. એની પાસે જ આખુંયે જૈન મંદિર બંધાવ્યું હતું. કિમતી અને કઠણ એવા કટીના પથ્થરમાં નકશીની નાજુકતાને અંબાર સૌને હેરત પમાડે એ ભરી લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org