________________
કલકત્તા
હાથી બગાન–શ્યામ બજારમાં આવેલી દાદાવાડીમાં ઊતરે છે. અને ત્યાંથી કાર્તિક વદ ૨ ના દિવસે રવાના થઈ બાકીના ભાગમાં ફરતે ફરતો બડા મંદિરે આવે છે. આખા હિંદુસ્તાનમાં આ વરઘોડાએ નામના મેળવી છે.
૧૭. બાહુચર કલકત્તાથી ઈ. બી. રેલવેના “સાલદા’ સ્ટેશનથી રેવેદ્વારા “જીયાગ જ’ સ્ટેશને ઉતરાય છે. આ સ્ટેશનથી બાહુચર' નામનું મોટું ગામ ગંગા નદીના કિનારે વસેલું છે.
અહીં જૈનાનાં પચાશેક ઘર છે. મોટા મોટા જાગીરદાર મહારાજા જેવા પૂર દમામથી અહીં રહે છે. પ્રસિહ જાગીરદાર રા. બ. શેઠ ધનપતસિંહજી અહીં રહેતા હતા. આજે એમના વંશજો રહે છે.
- આ જાગીરદારની લક્ષમીને સાર્થક કરી બતાવતાં જેનાં પાંચ મનોહર વિશાળ મંદિર અહીં શોભી રહ્યાં છે. તે પૈકી (૧) શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર નદી કિનારે આવેલું છે. તેની પાસે (૨) શ્રીઅરનાથ ભગવાનનું મંદિર છે. ત્યાંથી આગળ જતાં (૩) શ્રીવિમળનાથ ભગવાનનું મંદિર આવે છે, જેમાં ઉપર ચૌમુખજીની પ્રતિમાઓ છે. (૪) શ્રીધનપતિ બાબુનું ઘર-દેરાસર છે, જેમાં શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે. ગામની બહાર કીર્તિબાગમાં (૫) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું રમણીય દેશસર છે. એમાં કાચને ગભારા નામે કટીની પ્રતિમા છે. કહે છે કે, આ પ્રતિમા જગડુશેઠના કોટીના મંદિરમાંથી લાવીને અહીં પધ. રાવવામાં આવી છે. અહીં દાદાવાડીનું સ્થાન પણ છે. જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org