SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ બે- વારા નિશાના વાહનો જેના ૨૬ પૂ. ભા. જે. તીર્થભૂમિએ ઈદ્રિધ્વજ ડોલતે મહાલતે આવે. તે પછી જેના અલબેલા કુમાર સાબેલા બનીને બીજા વાહનોમાં કે ઘેડાને નચાવતા આવે. ગાજતા નિશાન ઠંકા, ફસ્કતી વજાઓ અને વાગતાં ઍડ-વાજિંત્રોની પાછળ સાજન-મહાજનની આગલી હરોળમાં ધર્મતેજસ્વી મુનિઓ પિતાનું બ્રહ્મતેજ પાથરતા ચાલતા હોય, તે પછી નગરશેઠ અને મહાજનમંડળી પિતાના ધાર્મિક પ્રભાવથી સૌને આંજી નાખતા ચાલ્યા આવે અને એ પછી દૂધધારાએ ધોવાતા માથે ભગવાનને સેના-ચાંદી મઢયો રથ હોય છે. તે પછી સાદવમંડળ અને તેમની સાથે જ શ્રાવિકાઓને સંઘ સેના-રૂપાના કળશે ધારીને જરીયાન સાળુઓમાં ઉત્સાહભેર પ્રભુનાં ગીત ગાતા ગાતે જાય છે. આવા વરઘોડાને જેવા શેરી–શેરીએથી નગરજનો ઊલટે એમાં નવાઈ ખરી? કલકત્તામાં કાર્તિક પૂર્ણિમાએ નીકળતા આ વરઘોડાની ભવ્યતાનું વર્ણન કરતાં પાર ન આવે. એ તે આંખે નિહાળીને જ અનુભવાય. આ દિવસે આખું શહેર જાણે ઉત્સવ ઊજવતું હોય એ આનંદ-પ્રમોદ દેખાય છે. ઊંચા ઇંદ્રધ્વજને પસાર થવા માટે માર્ગમાં આવતા તાર-ટેલિફેનનાં દેરડાં છોડાવવામાં આવે અને વાહન-વહેવાર બંધ કરાય એ સસ્કારી પરવાને ત્યાંના જેનેને મળે છે. વેતાંબર, દિગંબર વગેરે મળીને લગભગ બેથી ત્રણ માઈલના વિસ્તારમાં આ વરઘોડે પથરાચેલો હોય છે. આ વરઘોડો તુલાપટ્ટીના બડા મંદિરથી ચડે છે અને આખો દિવસ નગરના મુખ્ય મુખ્ય ભાગોમાં ફરીને સાંજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy