________________
કલકતા
અંગમરોડ ચિત્તાકર્ષક છે. પ્રેક્ષકની જ્યાં એકવાર પણ દષ્ટિ પડે છે, ત્યાં જ તે ચુંટી રહે છે, બીજે જોવાનું મન થતું નથી. સીડી પાસેના બે હાથી પણ રાવત જેવા લાગે છે. આ મંદિરને અમરાવતી માની અહીં ભૂલથી તે નહીં આવી ચડયા હોય?
“આરસનાં અનેકવિધ પૂતળાં મંદિરની મનોરંજકતામાં ઊમેરે કરે છે. મંદિરની સામેના તળાવથી મંદિરની શોભા ચાર ગણું વધી જાય છે. સાંજે જ્યારે વીજળીની દીપમાળાથી મંદિર ઝલહળી ઊઠે છે ત્યારે એનું જે પ્રતિબિંબ પાણીમાં પડે છે તે ઉપરથી જાણે બીજું જ મંદિર પાણમાં ખડું થતું હોય એમ લાગે છે અને જ્યારે એ જ પાણી હિલોળે ચડે છે ત્યારે પાણીની સપાટી ઉપર મંદિર તરતું હોય એવી મનહર ભ્રમણ જન્મે છે ! ગુસકાળ પછી શિલ્પકળા ઊતરતી જતી હોવાનું કહેવાય છે પણ આ મંદિર જતાં ગુપ્તકાળ પછી શિલ્પકળાએ અમુક દરજજે ઉન્નતિ ક્યનું અનુમાન કાઢવું પડે છે. ”
આ મંદિરની પાસે જ કપૂરચંદજી ભેળા બાબુનું ચંદ્રપ્રભુનું વિશાળ અને મનહર મંદિર છે.
જેનેની રથયાત્રાને વરઘોડે નાના-મોટા ગામમાં નીકળે છે. “જેન વરઘેડે એટલે કલાસુંદરતા અને ધાર્મિકતાનું જાણે નગરઘુમતું પ્રદર્શન” એવું કવિવર નાનાલાલનું કથન અહીં આબેહુબ નજરે પડે છે. કલકત્તાને જેન વડે એ સમગ્ર જૈનશાસનના ગૌરવનું અનુપમ પ્રતીક છે.
જાણે સરવનું ઝાડ ચાલતું હોય તેમ સૌથી મોખરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org