________________
લકત્તા
૫૩ તુલાપટ્ટીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરથી આશરે ૨-૩ માઈલ દર શ્યામ બજાર અપર સરકયુલર રોડ ઉપર (૧૦-૧૨) “મુકિમ જેન ટેપલ ગાર્ડન નામે ઓળખાતા સ્થળમાં ભવ્ય અને સુંદર ત્રણ મંદિરો આવેલાં છે, જેમાં મૂળ ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર છે. એકમાં દાદાવાડ છે તેમાંના દાદાજીના મંદિરમાં શ્રીધૂલિભદ્ર અને દાદાજીની ચરણપાદુકાઓ છે. તેની સામે તળાવ છે અને બાજુમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું પંચાચતી મંદિર છે. તેની લગોલગ વિશાળ જૈન ધર્મશાળા પણ છે.
શ્રી મહાવીરસ્વામીના મંદિરની બહારની ધર્મશાળા વટાવીને સામે જ રાય બદ્રીદાસ મુકિએ બંધાવેલું શ્રીશીતલનાથ ભગવાનનું રળિયામણું મંદિર આવે છે.
માતા ખુશાલકુંવરીની પ્રેરણાથી રાયબહાદુર બીદાસજીએ આ મંદિરનો પાયો નાખે તે સમયે આવું સુંદર કળામય મંદિર બંધાવવા જેટલી તેમની સંપત્તિ નહોતી પરંતુ પાયે નાખ્યા પછી એમની ભાવનાને ભાગ્યને સાથ આ અને આવું અદભુત કારીગરીવાળું મંદિર ઊભું થયું. આગરાના ભેંયરામાંથી દેવગે પ્રાભાવિક મૂર્તિ પણ હાથ લાગી અને સં. ૧૯૨૩માં એ મૂર્તિની આ મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી.
મંદિરની સામે રાય બદ્રીદાસજીની મૂર્તિ ભક્તિભાવથી હાથ જોડીને બેઠેલી છે. તેની પાછળ નાનું તળાવ છે. બાજુમાં ગુરુમંદિર અને પોતાને રહેવાને બંગલો છે. ગમે તે પ્રવાસીએ આ મંદિરની મુલાકાતે આવે છે ને મુક્ત કઠે પ્રશંસા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org