________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ ઉપરાંત શહેરમાં કેટલાંક ઘરદેરાસરે છે તેમાં (પ) હેરિસન રોડ ઉપર આવેલા મુકિમ નિવાસના ચેાથે માળે બાબુ રાયબદ્રીદાસે બંધાવેલું નાનું પણ મીનાકારીથી અતિરમણીય લાગતું મંદિર છે.
(૬) ધર્મતલામાં ઈન્ડિયન મીરર સ્ટ્રીટ નં. ૯ના કુમાર હોલમાં ઉપર એક આરસની ઘુમટીવાળું સુંદર જિનાલય છે. મૂળ ના. શ્રી આદિનાથ ભગવાન છે અને સ્ફટિકની બહુ રમણીય મૂર્તિઓ છે.
અહીં બાબુ પુરણચંદજી નાહરની સાહિત્ય ઉપાસનાના પ્રતીક સમું વિશાળ પુસ્તકાલય છે. જૂના લેખે, તાડપત્રીઓ, ચિત્રપટે, જૂના સિક્કાઓ, પુરાતન ચિત્રકળાના નમૂના, ખંડિત પ્રાચીન મૂર્તિઓ, પ્રાચીન શાસ્ત્રો વગેરે વિપુલ સંખ્યામાં સંગ્રહેલાં છે, જે પુરાતત્વના અભ્યાસીઓને હિંદના ઈતિહાસની સંકલનામાં મદદગાર થાય એવાં છે. એમના પુસ્તકાલયમાં આજે દુર્લભ એવા મુદ્રિત ગ્રંથ સંગ્રહાયેલા મળે છે. ખરેખર, જેને ગૌરવ લઈ શકે એવી નાહરની આ વિદ્યાસંપત્તિ દર્શનીય છે.
(૭) હરિસન રોડના નાકા ઉપર શ્રીજીવણદાસ પ્રતાપચંદનું ઘર-દેરાસર ત્રીજે માળે છે તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની મૂર્તિ છે.
(૮) બાંસતલ્લા સ્ટ્રીટમાં બાબુ હીરાલાલ પન્નાલાલના મકાનમાં શ્રીકેશરિયાજી ભગવાનની ધાતુપ્રતિમાવાળું ઘરદેરાસર છે. અને (૨) બાબુ લાલચંદ મોતીચંદનું પણું ઘર દેરાસર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org