SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કલકતા પર જેન યાત્રિી માટે ચારક સ્થળો ઊતરવા માટે અનુકૂળ છે. બડાબજાર શામબાઈ લેન નં. ૩માં ફૂલચંદ મુકિમની જૈન ધર્મશાળા, કેનીંગ સ્ટ્રીટ નં. ૯૬માં તપગચ્છ જૈન ઉપાશ્રય, અપર સરક્યુલર રોડ પર ધનસુખલાલ જેઠમલ જૈન ધર્મશાળા અને નં. ૪૪ ઉપર દાદાવાડી વગેરે જેને ધર્મશાળાઓ છે. આ નગરનાં જૈન મંદિરના દર્શનાર્થે જેનેતરો ઉપરાંત વિદેશીઓ પણ આવે છે. જેને માટે તે આ પવિત્ર મંદિર સદા વંદનીય છે. (૧) તુલાપટ્ટીમાં બે માળનું શિખરબંધી વિશાળ અને ભવ્ય જિનાલય છે. તેમાં નીચે મૂડ ના શ્રી આદીશ્વર ભગવાન આરસની છબીમાં બિરાજમાન છે. ઉપર સ્ફટિકનાં ત્રણ મિએ અને નાના ગોખલાઓમાં બીજા બિંબ છે. એ સિવાય અષ્ટાપદની દેરી, વીશ સ્થાનકને પટ વગેરે છે. મીનાકારી રચના અને બાંધણથી આ મંદિર મનોહર લાગે છે. આ મંદિરની વ્યવસ્થા દરેક ગ૭વાળા ભાઈઓ મળીને કરે છે. (૨) બરતલા સ્ટ્રીટના છેડે નં. ૪૮ વાળા મકાનમાં શ્રીસૂની બાબુનું શ્રીકેસરિયા ભગવાનનું ઘર-દેરાસર છે. (૩) કેનીંગ સ્ટ્રીટ નં. ૯૬ ઉપર તપગચ્છ ઉપાશ્રયમાં ત્રીજે માળે નાનું છતાં રમણીય નવીન મંદિર હમણું બન્યું છે. તેમાં શ્રી મહાવીરસ્વામી, શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનની દર્શનીય પ્રાચીન મૂર્તિઓ બિરાજમાન છે. બીજે માળે ઉપાશ્રય છે, તેમાં ગ્રંથને સારે સંગ્રહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy