________________
પૂ. ભા. જે તીર્થભૂમિ વરતુતઃ “આવશ્યક સૂત્ર અનુસાર અસ્થિગ્રામ વિદેહ જનપદમાં હતું. તેની સમીપે વેગવતી નદી વહેતી હતી, ભગવાન મરાક સંનિવેશથી અહીં આવ્યા હતા અને ત્યાંથી પાછા મેરાક થઈને વિચાલા તરફ પધાર્યા હતા. એટલે આજે તે એ તીર્થભૂમિને વિકેદ થયો છે એમ માનવું રહ્યું. વર્ધમાન અસલનું અસ્થિગ્રામ હેય એ પુરા મળતા નથી.
૧૬. કલકત્તા મરદ્ધાન સ્ટેશનથી રેલવે દ્વારા હાવડા સ્ટેશને ઉતરાય છે. જેમને બરધાન સ્ટેશને ઊતરવું હોય તેઓ મધુપુર જંકશન થઈને સીધા કલકત્તા જઈ શકે છે.
કલકત્તા હિંદનું મોટું અને પ્રાચીન નગર છે. એક સમયે હિંદનું આ પાટનગર હતું. આજે એ પશ્ચિમ બંગાળનું પાટનગર છે. હુગલીના કિનારે વસેલું હોવાથી એની બંદરમાં ગણના છે અને વેપાર-ઉદ્યોગનું મોટું મથક છે. ટ્રામ, મોટર, ડાગાડીએ અને મનુષ્યોની અવરજવરથી આખુયે શહેર પ્રવૃત્તિની પાંખે ચડેલું નજરે પડે છે. મોટી ઇમારતો, બજારે, કારખાનાં, દશનીય સ્થળો વગેરેનું રચનાવૈવિધ્ય આંખને આંજી દે છે.
અહીંનાં દર્શનીય સ્થળોમાં અજાયબઘર, જીવતા પ્રાણએનું સંગ્રહસ્થાન, વિકટેરિયા મેમેરિયમ, મ્યુઝિયમ માર્કેટ, નીકલ ગાર્ડન, રાણુ રાસમાનીને બગીચે, ફર્ડ વિલિયમ (કિલ), ટંકશાળ, યુનિવરસીટી અને વિવિધ બજારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org