________________
અરાન
ગિરડીહ બહુ મોટું નામ નથી પણ કેલસા અને અબરખની ખાને લીધે વેપારનું મેટું મથક બની રહ્યું છે. અબરખ સફેદ, લાલ અને કાળી જાતનું હોય છે. દળમાં અને લંબાઈમાં મોટાં હોય તે અબરખ કિમતી ગણાય છે. એને સાફ કરવા માટે અહીં મોટાં કારખાનાં જોવાલાયક છે.
૧૫. બરદ્વાન ગિરડીહથી હવે રસ્તે “મધુપુર” જંકશને ગાડી બદલીને કલકત્તાના મા બરધાન” નામનું સ્ટેશન આવે છે. દાદર નદીના કિનારે વસેલું આ બરધાન મોટું શહેર છે. બરહાન વર્ધમાનને અપભ્રંશ છે.
અહીં જેનેની વસ્તી, જૈન મંદિર કે ધર્મશાળામાંથી કશું નથી. પં. સૌભાગ્યવિજયજી “વર્ધમાન” ને ઉલલેખ કરતાં કહે છે?
“શૂલપાંણ જક્ષ ઠાંમ જસ કહેતા અસ્થિગ્રામ હે; અબ વર્ધમાન વિખ્યાતા, જાણે એ કેવલી વાત છે.” ૧
જ્યાં શૂલપાણિ યક્ષના ચૈત્યમાં ભગવાન મહાવીર વર્ષ-ચાતુર્માસ્ય ગાળી ઉપસર્ગ કરનાર એ પક્ષને શાંત કર્યો હતો તે અસ્થિગ્રામ આજે વર્ધમાનના નામે ઓળખાય છે. પરંત કવિ પિતે જ આ વર્ધમાનને જ અસ્થિગ્રામ માનવામાં શંકાશીલ બનતાં કેવલિગમ જણાવી છૂટી પડે છે.
૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' પૂ. ૮૪ તી૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org