________________
અરાફડ
૪૭
“ગિરિથી દૂર દક્ષિણ દિશ, દેખિઈ ઝુવાલુકા રે નાંમ; દામાદર ટિની હમણાં વડે, વીરજિન કેવળ ઢાંમ” ૪
.
સમેતશિખરથી પૂર્વ દક્ષિણ દિશામાં દામાદર નદી આજે પણ જોવાય છે. પરંતુ ઋજુવાલુકા અથવા ઉત્તુવાલુકાના ક્યાંઇ પત્તો મળતા નથી. હા, સમેતશિખરથી અગ્નિખૂણામાં આશરે ૫૦ માઈલ દૂર ‘આજી’ નામની માટી નદી અવશ્ય છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ દૂર " જમામ નામનુ' પ્રાચીન ગામ છે. અહીં એક જૂના કિલ્લે પણ છે. અરાકઢ નદીને સગમ આજીમાં થાય છે. એટલે આજી તે જ ઋતુવાલુકા માનવામાં આવે તે વાત જુદી છે. પરંતુ અહી એક વાત અવશ્ય વિચારણીય છે કે ‘આછ' નામે પ્રસિદ્ધ એક માટી નદીનુ" નામ ' સ્થાનાંગસૂત્ર'માં જ્યાં ગગાની પાંચ સહાયક મોટી નદીઆને બતાવી છે તેમાં ગણાવવામાં આવ્યું છે, તેથી આજી તે ઋત્તુવાલુકાના અપભ્રંશ માનશે। ઠીક નથી. વળી, આજી અથવા દામેાર નદીથી પાવા—મધ્યમા, જ્યાં ભગવાન મહાવીરસ્વામીનુ બીજી' સમવસરણ થયું હતુ, તે લગભગ ૧૪૦ માઈલ દૂર પડી જાય છે જ્યારે શાસ્ત્રોમાં ભગવાનના કેવળજ્ઞાનના સ્થાનથી મધ્યમા ૧૨ યાજન દૂર બતાવવામાં આવી છે. આવશ્યકચૂર્ણિ” અનુસાર ભગવાન કેવળી થયા પહેલાં ચપાથી જશિય, મિડિય, છમ્માણી થઈને મધ્યમા ગયા હતા અને મધ્યમાથી ફ્રીને જલીયગામ ગયા હતા, ત્યાં તેમને કેવળજ્ઞાન થયું. આ વિહારવણું નથી જણાય છે કે ‘• જલીયગામ ?
૪. ‘ શ્રમણ ભગવાન મહાવીર’• પૃ. ૩૫૭-૫૮
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org