________________
૧૩ ખરાકડ મધુવનથી ગિરીહ જતાં ૮ માઈલ ઉપર બરાકડ નામનું ગામ આવે છે. બ્રાકર કે બરાડ નામની નદીના કિનારે એ વસેલું છે. અસલની “ જુવાલુકા આજ હશે એવી આજની માન્યતા છે.
ભગવાન મહાવીરે બાર વર્ષની અખંડ ઘોર તપશ્ચર્યા પછી જે સ્થળે પિતાનાં શુદ્ધિપુજનાં તેજ પાથરી દીધાં, એ તેજને જાણે પોતામાં શમાવી દેતી જુવાલુકા નદી, ગમે તેવા માનવોનાં સંચિત કર્મોને જોઈ નાખે એવી મનાય. એ પુણ્યસરિતા અને જંક ગામ કાળની કઠોરતાથી શરમાઈને પૃથ્વીમાં સમાઈ ગયાં હોય એમ આજે તેને પત્તો મેળવયે મુશ્કેલ બની ગયા છે. સમાધાન ખાતર લેકોએ અહીંની બરાકડ નદીને ઋજુવાલુકા માની લીધી હોય એમ લાગે છે. યાત્રીઓની “તીર્થમાળાઓ” પણ આ સ્થળ માટે એકમત નથી.
પં. વિજયસાગર નામના ચાત્રી આ સ્થળને સમેતશિખરથી ૧૨ કેશ ઉપર બતાવે છે સોળમા સિકાના યાત્રી આ સ્થળને સમેતશિખરથી ૨૦ કેશ દૂર હોવાનું જણાવતાં વધુમાં નેધે છે કે, “લેકના કથનથી એમ જણાય છે. પં. જયવિજયે સમેતશિખરથી ભીયગામ કેટલું દૂર છે તે બતાવ્યું નથી પરંતુ સમેતશિખરથી જમણી બાજુએ હેવાનું કહ્યું છે. પં. સૌભાગ્યવિજયજી કહે છે –
૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : પૃ. ૮. ૨. એજન ૪ પૃ. ૨૦. ૩. એજન : પૃ. ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org