________________
સમેતશિખર ખડે પગે યાત્રા કરે છે અને અશકત માણસ ડાળીથી યાત્રા કરે છે.
વાંકાચૂકા ચડાવના બે માઈલ પર ચાના બગીચા નજરે પડે છે. ત્યાંથી એક માઈલ ઉપર જતાં ગંધર્વનાળુ આવે છે. આ નાળામાં બારે માસ શીતળ ને મીઠું પાણી વહ્યા કરે છે. આ પાણ પાચક મનાય છે. અહીં નાની સરખી જૈન ધર્મશાળા છે. યાત્રીઓ પાછા ફરે ત્યારે અહીં વેતાંબર જેમ કેઠી તરફથી યાત્રીઓને ભાતુ અપાય છે. પીવા માટે ઠંડા-ઊના પાણીની સગવડ હોય છે.
અહીંથી અધે માઈલ ઉપર જતાં સીતાનાળુ આવે છે. આ નાળાનું પાણું પણ બારે માસ વહેતું રહે છે અને મીઠું હોય છે. અહીંથી અઢી માઈલ ઉપર જતાં કુલ ૨૮ ટૂંકોની યાત્રા કરાય છે. તેમાં પહેલી શ્રીગૌતમસ્વામીની દેરી આવે છે. આમાં ચોવીશ તીર્થકર ભગવાનનાં પગલાં છે.
બીજી શ્રી કુંથુનાથની, ત્રીજી શ્રીચંદ્રાનનની, ચોથી શ્રીનેમિનાથની, પાંચમી શ્રીઅરનાથની, છઠ્ઠી શ્રીમહિaનાથની, સાતમી શ્રી શ્રેયાંસનાથની, આઠમી શ્રીસુવિધિનાથની, નવમી શ્રીપપ્રભુની, દશમી શ્રી મુનિસુવ્રતસ્વામીની, અગિયારમી શ્રીચંદ્રપ્રભુની, બારમી શ્રી આદિનાથની, તેરમી શીશીતળનાથની, ચૌદમી શ્રી અનંતનાથની, પંદરમી શ્રીસંભવનાથની, સેળમી શ્રીવાસુપૂજ્યસ્વામીની, સત્તરમી શ્રીઅભિનંદન પ્રભુની દેરીઓ-કે છે.
શ્રીવાસુપૂજ્યસ્વામીની દેરી પાસેથી “જળમંદિર જવાય છે. આ અઢારમી ટૂંક તે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org