________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ આ તરફના પ્રદેશમાં રહેનારા રાજપૂત અને ભીલ વગેરે આ પારસનાથ પ્રભુને મહાદેવ–મોટા દેવ તરીકે માને છે અને ભાવથી યાત્રા કરે છે. અહીં પિષ દશમીએ માટે મેળો ભરાય છે અને તેમાં જૈન-જૈનેતર હજારે માણસે આવે છે. અહીંની યાત્રા આસો મહિનાથી ફાગણ સુદી પૂનમ સુધીની ગણાય છે. તે પછી ભીલામાની પુષ્કળતાને લીધે પાણ બગડી જાય છે અને મેલેરિયાને ઉપદ્રવ રહે છે, તેથી યાત્રીઓ બાકીના કાળમાં અહીં આવતા નથી.
અનેક તીર્થકર ગણધર અને મુનિવરે અહીં નિવારણ પામ્યા છે તેથી તેની પવિત્રતા સહુના હૈયે વસેલી છે. એકાદ વાર પણ આ તીર્થની યાત્રા કરવી એ માનવજીવનને અમૂલખ લહા મનાય છે.
આ તીર્થની યાત્રા કરનારા કેટલાયે કવિઓએ આને મહિમા જુદી જુદી રીતે ગાય છે. પં. શ્રીવિજયસાગરજી આ સમેતશિખર તીર્થને શત્રુંજયથી પણ વધારે મહત્તા આપે છે. પં. શ્રીવિજયસાગરજી અને પં. શ્રી જયવિજયજીએ તીર્થની યાત્રા કરતાં પોતાની “તીર્થમાળા”માં સમેતશિખરની આસપાસના મનુષ્યો અને આ ભૂમિની રસાળતાનું જે વર્ણન કર્યું છે તે એ વખતની સ્થિતિનું ભાન કરાવે છે. આ કવિઓએ કરેલા વર્ણનને સાર આ પ્રમાણે છે
અહીંના લોકે લગેટિયા છે, માથું ઉઘાડું રાખે છે, માથે વાળનાં ગુંચળાં વધારે છે. સ્ત્રીઓ કાંચળીઓ પહેરતી
૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' ભા. ૧ સંક્ષિપ્તસારપૃષ્ઠ : ૨૯-૩૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org