________________
સમેતશિખર વરસી પડે છે ત્યારે તે કવિની હદય-ઉમિએ ઊછળી જાય અને સંગીતના સૂર છેડી દે એવું વાતાવરણ પ્રકૃતિદેવી અહીં સરજે છે. ખરેખર, આ પર્વતને જોતાં જ કુદરતની કીડાસ્થલીનું ઊભરાતું ભવ્ય દર્શન લાધે છે.
અહીંની ભૂમિમાં મેટી મટી હરડે, ધળી મુસળી, વત્સનાગ, વરાધનાં પાંદડાં, આમળાં અને ભીલામાં પુષ્કળ પ્રમાણમાં પાકે છે. આજે જેનું જ્ઞાન રહ્યું નથી એવી ચમકારિક ઔષધિઓને આ ભૂમિ ભંડાર છે એમ કહીએ તે ચાલે. વસ્તુત: અહીં રત્નગર્ભા વસુંધરાના અનુભવનું રહસ્ય આપોઆપ સમજાઈ જાય છે.
કોઈકે કેકાણે ગુફાઓ છે. મોટાં મોટાં વૃક્ષની સઘન છાયા વિસ્તરેલી છે. ઠંડા પાણીનાં ઝરણુ ખલખલ કરતાં વહી જાય છે. પુષ્પોની સુગંધથી સભર શીતળ વાયુ અહીંના વાતાવરણને માદક બનાવી મૂકે છે. ચાના બગીચા, ભીલનાં છૂટાંછવાયાં ઝુપડાં વગેરે જોતાં આ ગિરિરાજનું અતિમનહર દશ્ય જાણે કોઈ મનહર પ્રદેશમાં આવી પડ્યા હાઈએ એવા ભાનથી પિતાની જાતને પણ ભૂલાવી દે છે.
આ ગિરિરાજની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૪૪૮૮ ફિટની છે. શીતવિજયજી “તીર્થમાળામાં નેધે છે કે, આ પહાડ સાત કેશ ઊંચો અને પાંચ કેશ પહોળો છે.
આ પર્વતશ્રેણિઓમાં પહેલાં હાથીનાં ઝુંડ વસતાં હતાં એમ કહેવાય છે. આજે તે ગેંડા, સાબર, રીંછ, વાઘ વગેરે પ્રાણીઓ અવારનવાર જોવામાં આવે છે પરંતુ આજ સુધી કઈ પણ યાત્રીને હેરાન કર્યા હોય એવું સાંભળવામાં આવ્યું નથી.
ના ગિરિરાજ પતાનને હર પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org