________________
ભલિપુર
૫ હતું. અત્યારે તે આ તીર્થ વિચ્છેદ થયું છે, તેથી માત્ર ક્ષેત્રસ્પર્થના કરવાની રહે છે. અહીં શ્રાવકની કઈ વસ્તી નથી.
આજે કેલવા પહાડના ચડાવ ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ અને ગીચ ઝાડી વચ્ચે આવેલા એક મેદાનમાં
આકાશચન” નામનું તળાવ આપણું નજર આગળ નાનકડા માનસરોવરનું દશ્ય ખડું કરે છે. તળાવની પાસે એક પાતાળપણ કુંડ છે અને તેની પાસે જ એક શ્વેતાંબર જૈન મંદિર ખાલી ઊભું છે. તેમાં મૂર્તિ વગેરે કંઈ જ નથી.
અઢારમા સૈકાના તીર્થયાત્રી ૫. સૌભાગ્યવિજયજી આ સ્થળે આવ્યા ત્યારે અહીં જૈન મંદિર હતું. તેમાં સાત ફણાવાળી પાર્શ્વનાથની મનોહર મૂર્તિ વિરાજમાન હતી. એક ગુફામાં એકલમલ પ્રતિમા હતી અને નિર્મળ પાણીથી ભરેલા સરોવરમાં અસંખ્ય કમળ ખીલેલાં હતાં.૧ નોંધ:
કેટલાક યાત્રાળુઓ ગયાથી નવાદા સ્ટેશને પહોંચે છે અને નવાદાની આસપાસની પંચતીથી; જેમાં ગુણયા, પાવાપુરી, રાજગૃહી, કુંડલપુર અને બિહાર શરીફને સમાવેશ થાય છે, તેની યાત્રા કરે છે.
સૌથી પહેલાં બિહાર સ્ટેશનથી ૩ કેશ પર કંડલપુર જવાય છે. ત્યાંથી ૪ કોશ પર રાજગૃહી આવેઢી છે. ત્યાંથી ૫ કોશ દૂર પાવાપુરી, ત્યાંથી ૬ કેશ દર ગુણયા અને ત્યાંથી ૧ કોશ પર નવાદા સ્ટેશને પાછા આવી શકે છે. આ પંચતીર્થીનું વર્ણન આગળ આપવામાં આવેલું છે. - ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.” પૃષ્ઠ : ૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org