________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ ત્યારે કોશાબીની સ્થિતિ કેવી હતી તેનું વર્ણન પિતાના વિવિધતીર્થક૫માં આપે છે. અહીં એ પ્રાચીન કિલ્લો (ઉપર્યુંકત ચંડપ્રદ્યોતે બંધાવી આપેલો) વિદ્યમાન છે. આ નગરી યમુનાના કિનારા ઉપર જ વસેલી છે. અહીં કેસુડાંની ગીચ ઝાડી છે અને બગીચાઓ પણ ઘણા છે. આ નગરી પાસે જ્યાં ધનવૃષ્ટિ થયેલી તે “વસુહાર' નામનું ગામ પણ છે. ભગવાન મહાવીરસવામીના અભિગ્રહના પારણાના (જેઠ સુદિ ૧૦ ના) દિવસે અહીંના લોકોમાં ધર્મક્રિયા વિશેષ પ્રમાણમાં થાય છે. અહીંના મંદિરોમાં મનોહર જિનમૂર્તિઓ છે. શ્રીપદ્મપ્રભ ભગવાનના મંદિરમાં ભગવાનને પારણુ કરાવતા પ્રસંગની ચંદનબાળાની આબેહુબ મૂતિ પણ વિરાજમાન છે.
તપાગચ્છીય હેમવિમલસૂરિના પ્રશિષ્ય શ્રીહંસલેમ મુનિ સં. ૧૫૫માં રચેલી “તીર્થમાળા’માં કૌશાંબીનું વર્ણન કરતાં કહે છે કે અહીંના મંદિરમાં ૬૪ જિનમૂતિઓ છે.
પં. સહજસાગરના શિષ્ય વિજયસાગરે સં. ૧૯૬૧ પછી રચેલી “તીર્થમાળા'માં કૌશાંબી માટે કહે છે કે, અહીં ૨ જિનાલય છે અને કિલ્લો પણ મોજુદ છે ?
ઉપાધ્યાય શ્રીકલ્યાણવિજયજીના શિષ્ય જયવિજયગણિ કોસાંબીની યાત્રાએ જતાં માર્ગમાં આવતાં ગામની દૂરી નેધતાં કોથળીનું વર્ણન સં. ૧૬૬૪માં રચેલી “તીર્થમાળા” માં કરતાં કહે છે કે, શ્રી નેમિનાથ ભગવાનની જન્મભૂમિ શૌરીપુરથી ૧૧૫ કેસ પર આવેલા સાહજાદાપુરમાં જિનમંદિર
૨. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃષ્ઠ: ૧૪. ૩. એજનઃ પૃષ્ઠ: ૨, ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org