________________
કેશાબી
પરંતુ આ વરને બદલે લેવાને ઉદયને નિશ્ચય કર્યો હતે. ઉદયન એ સમયે ગંધર્વવિદ્યામાં અજોડ મનાતે. ચંડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાને સંગીતમાં કુશળ બનાવવાનું કામ ઉદયનને સેંપવામાં આવેલું હતું. જે તકની રાહ જોઈને ઉદયન બેઠો હતો એ મળી જતાં ઉદયન વાસવદત્તાને ઉજજેનીમાંથી ખુલ્લી રીતે કૌશાંબી ઉપાડી ગયે ત્યારે જ ચંડપ્રદ્યોત ઠંડે થઈને બેઠો.
આ ઘટના સિવાય આ ભૂમિ ઉપર કેટલાયે પવિત્ર પ્રસંગે બની ગયા છે એ જાણવા જેવા છે.
ભગવાન મહાવીરને પાંચ મહિના અને પચીસ દિવસના પારણામાં ચંદનબાળાએ અડદના બાકુલા આ સ્થળે જ વહેરાવ્યા હતા. સાધ્વી ચંદનબાળા અને ઉપર્યુકત મૃગાવતી સાધ્વીને આ ભૂમિમાં જ કેવળજ્ઞાન ઉપર્યું હતું. શ્રેણિક મહારાજાને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવનાર અનાથી મુનિ અહીંના જ હતા. “શ્રીપાલરાસમાં જે ધવલ શેઠનું વર્ણન આવે છે તે આ નગરીના જ રહેવાસી હતા.
શતપથબ્રાહણ” અને “રામાયણમાં પણ કૌશાંબી ઉલલેખ છે એ મુજબ પ્રસિદ્ધ વૈયાકરણ વરરુચિ જેને કાત્યાયન પણ કહે છે તેને જન્મ આ ભૂમિમાં જ થયો હતો. રત્નાવલી નાટિકા સૌ પ્રથમ વત્સપટ્ટન-કૌશાંબીમાં જ ભજવાઈ હતી.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે, ઉજજેનીથી કૌશાંબી ૧૦૦ ચાજન દૂર છે. શ્રીજિનપ્રભસૂરિ ચૌદમા સિકામાં જ્યારે કૌશાંબીની યાત્રાએ આવ્યા.
૧. એ ગ્રંથનું પર્વ દશ, સગ ૧૧, શ્લોક ૨૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org