________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ કૌશાંબીમાં આજે તે કઈ શ્રાવકની વસ્તી કે મંદિર નથી. માત્ર ક્ષેત્રસ્પર્શના એટલે આ તીર્થના પ્રાચીન ગૌરવનું એ સ્થળ ઉપર ઊભા રહીને સ્મરણ કરવાનું રહે છે. છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ ભગવાનનાં ચાર કલ્યાણકાન આ ભૂમિ મનાય છે.
આ ભૂમિ ઉપર કેટકેટલાં નાટક ભજવાઈ ગયાં હશે એની શી ખબર પરંતુ પ્રાચીન જેનામાં આ નગરીમાં બની ગયેલા એક રોમાંચક પ્રસંગની નોંધ મળે છે?
ભગવાન મહાવીરના સમયની આ વાત છે. કોશાંબી વાસદેશની રાજધાનીનું નગર હતું. એની શોભા પાર વિનાની હતી. ત્યાં શતાનીક નામે રાજા હતા. તે ચેટકની લાવણ્યવતી કન્યા મૃગાવતીને પર હતો. એના અનેખા સૌંદર્યની વાત ઉજજોનીના રાજા ચંપ્રત જે શતાનીકને સાદ્ધ થત હતો, તેના કાને અથડાઈ ત્યારે કેઈ પણ ભેગે એને હાથ કરવાની વાસના એને જાગી. કેમકે આ સમય સ્ત્રી-રત્નની સાઠમારીને હતે.
- મૃગાવતી શીલવતી અને ચતુર હતી. ચંડપ્રદ્યોત સામે થવાની શતાનીકની શક્તિ નહતી તેથી મૃગાવતીએ ચતુરાઈથી ચંડપ્રદ્યોતને મૂર્ખ બનાવવાનો વિચાર કર્યો. મૃગાવતીના કહેવાથી ચંડપ્રદ્યોતે ઉજજૈનીને કિલે પડાવી નાખી. એ જ સામગ્રીથી કૌશાંબીને ફરતે કોટ બંધાવી આપે. આખરે ચંડપ્રદ્યોતને કૌશાંબી ઉપર ચડાઈ કરવી પડી. તે દરમિયાન શતાનીક મરણું પામ્યા અને તેના પુત્ર ઉદયનને ઉજજેની લઈ જવામાં આવ્યું, પરંતુ મૃગાવતીને મેળવવાની તેની આશા ફળી નહિ. મૃગાવતીએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈ આત્મકલયાણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org