________________
શૌરીપુર
૧૯ સં. ૧૨૬૨ માં શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય કલ્યાણવિજયશિષ્ય શ્રી જયવિજયજી પૂર્વદેશની યાત્રા કરવા જતાં આગરાથી સં. બાબુ અરજીને સાથે લઈને શૌરીપુર ગયા હતા ત્યારે શૌરીપુરમાં સાત વેતાંબર મંદિરે હતાં– એવી નેધ કરે છે.
એ પછી સં. ૧૯૬૭ માં શ્રીવિવેકહર્ષગણિ શૌરીપુર પધાર્યા હતા અને કેટલીયે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી, જેમાંની કેટલીક મૂતિએ આગરા, મથુરા, કલકત્તા અને સરધના વગેરે સ્થળોમાં આજે પણ પૂજાય છે.
સં. ૧૬૭૧ માં શ્રીસહજસાગરગણિ, પં.વિજયસાગર, પં. હેતુસાગરગણિ વગેરે સંઘ સાથે આગરાથી શૌરીપુરની યાત્રાએ પધાર્યા હતા. એ જ સમયમાં શ્રી કલ્યાણસાગરજીએ પણ યાત્રા કરી હતી.
સં. ૧૬૬૮ માં શ્રીજિનચંદ્રસૂરિ, સં. ૧૭૪૭ માં શ્રી– સૌભાગ્યવિજયજી, સં. ૧૭૫૭ માં ઉપા. મેઘવિજયજી તથા સં. ૧૮૦૫ માં કુશલવિજયગણિ વગેરેએ શૌરીપુરની યાત્રા કરી હતી, એની તીર્થમાળાઓ અને અતિહાસિક કાવ્ય સાક્ષી પૂરે છે.
મતલબ કે, શ્રી હીરવિજ્યસૂરિજીએ આ તીર્થની ફરીથી પ્રતિષ્ઠા કરી યાત્રાને માર્ગ ખુલે કર્યો એટલું જ નહિ ત્યાં રહેતા રજપૂતેને પણ તેમણે પ્રતિબંધ કર્યો હતો જેથી યાત્રાળુઓને સગવડ મળતી હતી.
૩, “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' પૃષ્ઠ ૨૦ (શ્રીયશવિજય જૈન ગ્રંથમાળા ભાવનગરથી પ્રકાશિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org