________________
પૂ. ભા. જે. તીર્થભૂમિ બનાવી હતી. આ કારણથી તીર્થભૂમિ તરીકે શૌરીપુરની ખ્યાતિ આજે પણ જેનેના હૃદયમાં વસેલી છે.
પ્રાચીન કાળમાં આ સ્થળે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા વિપુલ પ્રમાણમાં હતી પરંતુ શુંગરાજ પુષ્યમિત્રની ધર્માન્યતા અને તે પછી શંકરાચાર્યના ધાર્મિક આક્રમણેથી જૈનધર્મના ઉપાસકો પોતાની તીર્થભૂમિ છેડી દઈ રાજપૂતાના, ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં જઈને વસ્યા. આમ હોવા છતાંયે પ્રભાવશાળી જૈનાચાર્યોએ કષ્ટની પરવા કર્યા વિના એ પ્રાતમાં વિચારીને તીર્થની રક્ષા માટે ઉપદેશને ધધ સતત વરસાવ્યા કર્યો. એવા પ્રભાવશાળી આચાર્યોમાંથી શ્રીબપભદ્રિસૂરિ, ઉદ્યોતનસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ, વિમલચંદ્રસૂરિ વગેરેના ઉજજવળ નામ ઈતિહાસની સુવર્ણાક્ષરીમાં નેધાયેલાં મળે છે.
તે પછીના સમયને શૌરીપુરને ઈતિહાસ અંધારામાં છે. છેવટે સત્તરમી શતાબ્દિમાં સંઘવી સેહિલ, જે “હીરસૌભાગ્યમહાકાવ્યના રચનાર શ્રીસિંહવિમલગણિના પિતામહ થતા હતા, તેમણે શૌરીપુરનો સંઘ કાઢયો હતે. તેમાં અનેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ હતાં. તેમણે શ્રીનેમિનાથ ભગવાનની નવી મૂર્તિ બનાવી હતી પરંતુ કેઈ કારણવશ એની અંજનશલાકા તે સમયે થઈ શકી નહોતી.
આખરે સમ્રાટ અકબરના પ્રતિબંધક શ્રીહીરવિજયસૂરિ સં. ૧૬૪૦ માં શૌરીપુરની યાત્રાથે સંઘ સાથે પધાર્યા ત્યારે તેમણે સં. રોહિલે તૈયાર કરાવી રાખેલી પ્રતિમાની અંજનશલાકા કરી પ્રતિષ્ઠિત ક્રરી અને ભગવાન નેમિનાથની ચરણપાદુકાને પણ તેમણે પધરાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org