________________
શૌરીપુર
૧૭ મોકલી હતી તેમાં સં. ૧૦૮૪ કે ૧૦૯૪ ના લેખવાળી રાષભદેવની પ્રતિમા તેમજ ભીંત પરના જૈન લેખો અને જિનમૂર્તિએ ઈતિહાસની દષ્ટિએ ધ્યાન ખેંચે તેવાં છે.
જૈન અનુકૃતિ પ્રમાણે શૌરીપુર જેનેનું પ્રાચીન તીર્થધામ છે. લગભગ છઠ્ઠા સાતમા સૈકામાં રચાયેલા “વસુદેવહિંડ' નામના કથાગૂંથમાં શૌરીપુરની સ્થાપના ઈતિહાસ આ પ્રમાણે મળે છે: “હરિવંશમાં સારી અને વીર નામના બે ભાઈઓ હતા, જેમાં સરીએ સેરિયપુર” અને વીરે સવીર વસાવ્યું. સેરીને પુત્ર અંધકવૃષ્ણુિ હતું. તેને ભદ્રા રાણથી સમુદ્રવિજય વગેરે દશ પુત્રો થયા અને કુંતી તેમજ માદ્રી નામની બે કન્યાઓ થઈ. વીરને પુત્ર ભેજવૃણિ થયે. તેને પુત્ર ઉગ્રસેન થયે અને ઉગ્રસેનને બંધુ, સુબંધુ તેમજ કંસ વગેરે છ પુત્રો થયા હતા.”
હેમચંદ્રાચાર્ય “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત માં પણ શૌરીએ શૌરીપુર વસાવ્યાનો ઉલ્લેખ કર્યો છે અને વિશેષમાં એ પણ જણાવ્યું છે કે, સમુદ્રવિજય શૌરીપુરમાં અને કેસ મથુરામાં રાજ્ય કરતા હતા. શ્રીકૃષ્ણ કંસને મારીને મથુરામાં રાજ્ય જમાવ્યું પરંતુ મગધના રાજવી જરાસંધના ભયથી શ્રીકૃષ્ણ અને સમુદ્રવિજય આદિ યાદવે પશ્ચિમમાં સૌરાષ્ટ્રની દ્વારિકા નગરીમાં આવીને વસ્યા.
જેનેના પ્રાચીન આગમગ્રંથે પિકી “સમવાયાંગ, ઉત્તશશ્ચયન, આવશ્યકનિયુક્તિ, કલ્પસૂત્ર ઈત્યાદિ ગ્રંથમાં શૌરીપુરને ગૌરવભર્યો ઉલ્લેખ છે. યાદવકુલતિલક શ્રીનેમિનાથ ભગવાને આ ભૂમિને પિતાના જન્મથી પવિત્ર
તીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org