________________
૧૫
શેરપુર
મથુરા પાસે ગોકુળ-વૃંદાવન વગેરે વૈષ્ણવ ધામે છે. વૃંદાવનમાં વેતાંબર જૈનનું ઘર એક છે. અહીં સુવર્ણના લઠ્ઠાનું જૈન મંદિર દર્શનીય છે. જે ઉદાર મહાશયે આ મંદિર બંધાવ્યું તેના કુટુંબીએ આજે વૈષ્ણવધર્મના ભકતો બન્યા છે. જૈન સાધુઓની અવરજવર વિના આવાં અનેક ક્ષેત્રોમાંથી જૈનધર્મનું નામનિશાન ઘસાતું ચાલ્યું છે એ ઓછી કમનસીબ બીના ન ગણાય.
૩. શારીપુર
મથુરાથી રેલ્વે રસ્તે આગરા પાછા આવીને, ત્યાંથી કંડલા જંકશન થઈ શીકાહાબાદ જંકશને અવાય છે. ત્યાંથી ૧૩ માઈલ દૂર અને નવી રેલવે લાઈનના બાડા સ્ટેશનથી ૫ માઈલ દૂર વાયવ્ય ખૂણામાં બટેશ્વર” નામનું મોટું ગામ છે. યમુનાના દક્ષિણ કાંઠા ઉપર આ ગામ વસેલું છે. આગરા જિલ્લાના ભરાવર પ્રાંતમાં આની ગણના થાય છે.
વટેશ્વરનાં પ્રાચીન નામ એરિયપુર, શૌરીપુર, રિપુર અને સૂર્યપુર વગેરે મળી આવે છે. બટેશ્વર નામ કાંતે ભદાવરનરેશે સ્થાપેલા ભદ્રેશ્વર શંકરના મંદિર ઉપરથી ભદ્રેશ્વર વસ્યું ત્યાર પછી બડેશ્વર–વટેમાર નામ જાહેરમાં આવ્યું હોય અથવા અહીં વડના વૃક્ષનાં અનેક ઝંડ હોવાથી વટેશ્વર-અટેશ્વર નામ પડ્યું હોય. જો કે વિ. સં. ૧૯૮૧માં અહીં ચમુનાનું પૂર ફરી વળવાથી એના જળપ્રલયમાં અહીંના વડોને બહુધા નાશ થઈ ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org