________________
૧૪
પૂ. ભા. જ. તીર્થભૂમિ વિગતે ચર્ચવાનો અહીં અવકાશ નથી. આ અવશે લખનૌના કેસરબાગમાં અને સ્થાનીય મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે અને એ વિશે જેન-જૈનેતર વિદ્વાનોએ આ છે પ્રકાશ પાડ્યો છે. એનો શાસ્ત્રીય અભ્યાસ થાય અને તે વસ્તુ એને સાંગોપાંગ ઉકેલ આવે એ હવે જરૂરી છે. હજી કેટલીયે મૂતિઓ અને અવશેષે પર બૌદ્ધોની છાપ લાગેલી છે તે દર થવી ઘટે છે.
હાલમાં અહીં શ્વેતાંબર જૈનેનાં ૮-૧૦ ઘર છે. દિગંબરોની સંખ્યા વધુ છે. અહીં ઘીયામંડીમાં પ્રાચીન વેતાંબર જૈન મંદિર છે. તે નાનું હતું ને જીણું થયું હતું. એને નવેસરથી જીર્ણોદ્ધાર કરાવી મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી) ના હાથે સં. ૧૯૮૮માં એની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
અહીં ૮૪ આગમો લખાયાં એના સ્મરણરૂપે રાશીના મંદિર” તરીકે ઓળખાતું એક મંદિર છે. તેની મૂળ વેદી ઉપર શ્રીજબૂસ્વામીની પાદુકા છે. તેની પ્રતિષ્ઠા શ્રીહીરવિજયસૂરિજીના પ્રશિષ્ય શ્રીવિવેકહર્ષગણિએ કરી એ સંબંધી તેના ઉપર લેખ હતું. પરંતુ મંદિરને પિતાનું કરી લેવાની સાંપ્રદાયિક દ્રષ્ટિએ એના ઉપર હાથ ફેરવ્યો છે. એ લેખને તદ્દન ઘસી નાખવામાં આવ્યું છે.
અહીં દિગંબર મંદિરે ને ધર્મશાળા છે.
મથુરામાં વેતાંબર જૈનને ઉતરવાનું મોકળાશભર્યું ખાસ સ્થાન નથી. આથી અહીં મંદિર પાસે વેતાંબર ધર્મશાળા થવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org