SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરા કંદિલના પ્રમુખપણા હેઠળ મથુરામાં જેન વેતાંબર સંઘ એકઠા થયા અને આગને વ્યવસ્થિત કરવામાં લાગી ગયે. પં. શ્રીકલયાણવિજયજીના કથન મુજબ વીરનિર્વાણ સં. ૮૨૭ થી ૮૪૦ (વિ. સં. ૩૫૭ થી ૩૭૦) વચ્ચેના કોઈ વર્ષમાં જે વાચના થઈ તે “માઘુરીવાચના” અથવા “સ્કાદિલીવાચનાના નામથી પ્રસિદ્ધિ પામી. ભગવાન મહાવીરસ્વામી પછી તેર વર્ષે આ બ૫ભદિસૂરિએ આ તીર્થને ઉદ્ધાર કરાવ્યો અને છેવટે મંત્રી કર્મચલે મથુરાના જિનમંદિરોને જીર્ણોદ્ધાર કર્યો હતે. ઓરગઝેબના સમયમાં આ તીર્થ નાશ પામ્યું, મંદિરો ને મૂર્તિઓ જમીનદોસ્ત થઈ ગયાં ને કાળના ઝંઝાવાતે એના ઉપર ધૂળ ફેરવી દીધી. આ દેશમાં ઇતિહાસ સંશાધનનું કામ શરૂ થયું ત્યારે કેટલાક સંશોધકોનું મથુરા ઉપર ધ્યાન ખેંચાયું કંકાલી ટીલા નામે ઓળખાતા એક ટેકરાને તેમણે બેદી કાઢો ત્યારે જેનાના તીર્થ તરીકેના દાવાનાં પ્રમાણે તેમના હાથે જ પ્રગટ થયાં, આ ખેદકામમાંથી અનેક મૂતિઓ, પબાસણ, આયાગપટે, ગર્ભપહારનાં શિલાંતિ ચિત્રો વગેરેએ જેનધર્મના ઇતિહાસ ઉપર ઘેરો પ્રકાશ પાડયો છે. એટલું જ નહિ જેના કવેતાંબરીય પ્રથામાં ઉલ્લેખાયેલ, ગણ, કુળ ને શાખાનાં નામે જેવાં ને તેવાં તેમાં કેરાયેલાં મળી આવ્યાં છે. દિગંબર અને તાંબર પંથભેદના પુરાવાઓની એમાંથી સાબિતી સાંપડે છે. એ સિવાય જેની કળા અને સ્થાપત્યના વિકાસના પ્રમાણે એમાંથી જ જડી આવે છે. આ બધી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy