________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ નાથ ભગવાનનું, (૧૦) શ્રી નેમિનાથ ભગવાનનું (૧૧) શ્રી વાસુપૂજ્ય પ્રભુનું, (૧૨) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું—એમ કુલે ૧૨ જેનમંદિર વિદ્યમાન છે.
રેશન મહોલ્લામાં શ્રીહીરવિજ્યસૂરિ મહારાજના વખત જૂને જૈન ઉપાશ્રય છે, જેન ધર્મશાળા ને શ્રીવીરવિજયજી જેનપુસ્તકાલય છે.
જેલનગંજમાં ગુરુદેવ શાઅવિશારદ જેનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજી મહારાજના ઉપદેશથી શેઠ લખમીચંદ
દે બંધાવેલ સુપાર્શ્વનાથ જિનાલય અને ધર્મશાળાની સાથે શ્રીવિજ્યધર્મલામી જ્ઞાનમંદિર છે. આ જ્ઞાનમંદિરમાં પુસ્તકોને સારા સંગ્રહ છે. હસ્તલિખિત પ્રાચીન પથીએ પણ તેમાં ઘણું સંગ્રહાયેલી છે.
શહેર બહાર શહાગંજમાં તપગચ્છીય દાદા શ્રીહીરવિજયસૂરિજીની દાદાવાડી છે. તે “શેઠજીકા મંદિર ના નામે ઓળખાય છે. ત્યાં એક જિનાલય અને ધર્મશાળા પણ છે.
આગરા જેમ ઐતિહાસિક દ્રષ્ટિએ આકર્ષક છે તેમ કારીગરીમાં પણ આગળ પડતું છે, આરસ અને માટીની કારીગરીની વસ્તુઓ અહીં બને છે.
૨. મથુરા આગરાથી પશ્ચિમ દિશામાં ૩ર માઈલ દૂર “મથુરા” આવેલું છે. હવે તે અહીં અવાય છે. - મથુરાની પ્રસિદ્ધિ અતિ પ્રાચીન નગરીમાં છે. એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org