________________
પૂ. ભા.. તીર્થભૂમિએ ધર્મગુરુઓની કુપા માત્રનું ફળ છે.” બાદશાહે એ તપસ્વિનીની ક્ષમા માગી વિદાય લીધી. પરંતુ તત્વરસિક સત્યપ્રેમી બાદશાહને ત્યારથી શ્રીહોરવિજયસૂરિજીને મળવાની ઉત્કંઠા જાગી. તેણે એ આચાર્યશ્રીની માહિતી મેળવી, તે વખતના ગુજરાતના સુબેદાર શાહબુદ્દીન અહમદખાને એક ફરમાન લખીને બે કર્મચારીઓને ગુજરાત તરફ રવાના કર્યા. સુરિજી એ વખતે ગંધારમાં હતા.
બાદશાહનું ફરમાન મળતાં શ્રીહરવિજયસૂરિજીએ પિતાના શિખે સાથે સં. ૧૯૩૮માં ગંધારથી નીકળી ગામ ને નગરનું પગપાળા પર્યટન કરતાં કરતાં સં. ૧૯૩૯ માં ફતેહપુરક્રિી પહોંચ્યા.
પિતાના વિદ્વાન શિષ્યો સાથે સુરિજી શાહી મહેલમાં પધાર્યા ને બાદશાહને જૈનધર્મનાં તત્તવો ને તપ-ત્યાગના ઉચ્ચ સિદ્ધાંતને પરિચય કરાવ્યો. બાદશાહ ખૂબ પ્રસન્ન થયા. એ પ્રસન્નતાના ઉપલક્ષમાં સૂરિજીએ બીજું કંઈ ન માગતાં પર્યુષણ ને એવા બીજા તહેવારમાં અમારી પહ બજાવવાનું ફરમાન માગી લીધું ને કેટલાંચે તીર્થોના પરવાના માગી લીધા. પરોપકારી આ મહાત્માની માગણીથી બાદશાહ ખૂબ પ્રભાવિત થયા. સૂરિજીને તેમના વિદરબારમાં સ્થાન મળ્યું. તેણે સૂરિજીને “જગદગુરુ”ની પદવીથી નવાજ્યા. આદશાહ અકબરના પુત્ર-પૌત્ર બાદશાહ જહાંગીર અને શાહજહાંએ પણ સૂરિજીના શિષ્ય-પ્રશિષ્ય સાથે એવો સંબંધ જાળવી રાખે.
અત્યારે તે અહીં જેની વસ્તી ઓછી છે પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org