________________
આગરા
એક દિવસ બાદશાહ અકબર ફતેહપુરના પિતાના મહેલમાં બેઠા બેઠા રાજમાર્ગ પરની ચર્ચાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ત્યાં જ એની નજરે એક મેટ વરઘોડે નીકળતે જેવા. તેમાં મધ્યમાં રહેલી એક પાલખીમાં એક સ્ત્રી સુંદર વસ્ત્રાભૂષણ સજીને બેઠેલી હતી, તેના હાથમાં ફળ, ફૂલ ને શ્રીફળને એક થાળ હતા. આ જોઈને બાદશાહે પિતાના પરિચારકેને પૂછયું : “આ કહ્યું છે અને ક્યાં જઈ રહી છે?” પરિચારકોએ ખુલાસે આપેઃ “હજૂર! આ એક શ્રીમંત જૈન શ્રાવિકા છે. તેણે છ મહિનાના ઉપવાસનું કઠણ તપ કર્યું છે. જેના ઉપવાસમાં માત્ર દિવસે ગરમ પાણી જ લેવાય છે. અને કે ફળ-ફૂલાદિ કંઈ જ નહિ. આજે જેનોને કે પર્વ દિવસ છે તેથી આ બાઈ જૈન મંદિરમાં દશન માટે જઈ રહી છે.”
આ સાંભળીને બાદશાહને ખૂબ આશ્ચર્ય થયું. તે છ મહિનાના ઉપવાસની હકીકત માની શકયો નહિ. તેણે એ તપસ્વી શ્રાવિકા ચંપાબાઈને પોતાની પાસે બોલાવી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. એની નિર્દોષ વાણું, તેજસવી આકૃતિ ને ભક્તિપ્રફુલ વદન જોઈ એ વાતની એને પ્રતીતિ થઈ છતાં તેમાં કંઈ દંભ તે નથી એની તપાસ માટે પિતાના માણસને છૂપી રીતે મૂકી દીધા. જ્યારે આ બાઈ પોતાના સત્યની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ ત્યારે બાદશાહે સ્વયં તેની પાસે જઈ ભક્તિપૂર્વક પ્રણામ કરી બોલ્યા: “માતા! તુ આવું કઠણ તપ કેમ ને કેવી રીતે કરે છે?” તપસ્વીનીએ કહ્યું: “રાજન ! આ તપ કેવળ આત્મશુદ્ધિ માટે કરું છું ને એ પણ સાક્ષાત ધર્મમતિ શ્રી હીરવિજયસૂરિજી જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org