SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧, આગરા આગરા ઐતિહાસિક શહેર છે. મોગલ બાદશાહોએ એને પાટનગરની મહત્તા આપી ને અકબર, જહાંગીર તેમજ શાહજહાંએ એને કળાલકમીથી શણગારી સમૃદ્ધ કરી છે. તે જ આ આગરા શહેર એના ભૂંસાતા સ્વરૂપમાં નજરે પડે છે. એ સમયની જાહોજલાલી અને શિલ્પસૌંદર્યનું ગરવું દર્શન કરાવતું આ શહેર યમુનાના કિનારે શોભી રહ્યું છે. આગરાનો પ્રચંડ કિલે માત્ર જુએ તે અકબર, જહાંગીર અને શાહજહાં—એ બાદશાહી ત્રિપુટીની ભાવનાનું દર્શન સાકાર થતું લાગે. જાણે અનેક કડવા—મીઠા પ્રસંગો ઘેલી પીને આ પ્રચંડ કિલ્લો એના વિરાટ સ્વરૂપે દેખા દે છે. આ સિવાય અહી અનેક ઇમારતો મોગલ બાદશાહએ ઊભી કરી છે. ઈતમદ્દોલા કબર, અકબરની કબર વગેરેમાં કળામય સ્થાપત્યને અંબાર ભરી દીધું નજરે પડે છે. આગરાનું સર્વોત્કૃષ્ટ આકર્ષણ તે તાજમહાલ. એની રચનામાં સંસારની વાસનાકથા વણાયેલી છે. એ જોવાલાયક ભલે હોય પણ એમાંથી આપણે સાત્વિક પ્રેરણાની આશા ન જ રાખી શકીએ. એ માટે તે અકબર જેવા બાદશાહની ધાર્મિક જિજ્ઞાસા તરફ દષ્ટિ નાખવી જોઈએ. એ પ્રસંગ છે કે ફતેહપુરસિકોમાં અને હતા પરંતુ એ પ્રસંગ પછી જ આગરાની ભૂમિમાં જૈનધર્મ ગૌરવ મેળવ્યું ને બાદશાહે એ માટે કેટલીયે છૂટછાટે આપી. એ પ્રસંગ ટૂંકમાં જોઈ લઈએ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy