________________
તેજપુંજ તીર્થદર્શન
એ સ્થળના પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસનું આધુનિક શિલીએ વર્ણન આલેખવાને આ પ્રયાસ છે. આમાં તીર્થ ન હોય એવાં માગે આવતાં શહેરનું પણ કમવાર વર્ણન છે અને જેન યાત્રાળુને ઉપયોગી થઈ પડે એ દ્રષ્ટિએ માહિતી આપી છે.
એક કાળે તીર્થયાત્રા કરનાર માટે તપસ્વી ને વીર ગણત. લેકમાં એ સત્કારનું ભોજન બનતે, કેમકે એ સમયની યાત્રામાં દુર્ગમ અને બિહામણું જંગલે એને પગપાળા વીંધવાં પડતાં, ચોર, ડાકુ ને હિંસક પ્રાણીઓને એને સામને કર પોતે ભૂખ, તૃષા, વેઠવી પડતી; સગાં ને વહાલાને વીસારવા પડતાં ત્યારે એની ભાવનાનાં ભૂલ અંકાતાં. આજે એ ભક્તિની કલ્પના કરીએ તેય રોમાંચ ખડાં થઈ જાય.
આજના વિજ્ઞાને તીર્થયાત્રા સુગમ બનાવી છે તેથી આજની યાત્રાનું વાસ્તવિક ફળ જેઈએ તેટલું ઉપજતું નથી. છતાંય તીર્થયાત્રામાં ભક્તિ અને સંયમ જળવાય તે યાત્રાનું પુણ્ય મળે જ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “મન પર્વ મનુષ્કાળ આપ રાજ્ય-ભોક્ષદ' આપણે એ ઉદેશને સફળ બનાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. એ તેજસવી તીર્થોનાં દર્શન કરવાં એ પણ જીવનને અણમેલે લહાવો છે.
આ વર્ણનમાં પૂર્વદેશની યાત્રા માટે રેલવે રસ્તા અને ટેશનની માહિતી આપી છે. આપણું યાત્રા આગરા શહેરથી શરૂ થાય છે. ચાલોઆપણે સૌ ત્યાં જઈએ અને ત્યાંથી યાત્રા લંબાવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org