________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ જીવનપલટ કરી કાયાનું ક૯યાણ કરવા એમના આદેશને માથે ચડાવતા. આથી જ કહેવાય છે કે એ કાળે જૈનધર્મને વિજયવાવટે પૂર્વદેશમાં ફરકતું હતું. મગધિ ઓ નર ખર હુઈ એ આ જૈનેતરીય તિરસ્કાર મગધના પ્રદેશમાં જૈન સંસ્કારની બહુલતાનું સચોટ પ્રમાણ પુરું પાડે છે.
સમેતશિખર અને તેની આસપાસની નગરીઓમાં વીશે તીર્થકરોનાં મોટા ભાગનાં કલ્યાણક સ્થળો આવેલાં છે તેથી એ ભૂમિ આજ સુધી તીર્થને મહિમા ધારણ કરી રહી છે. કેટલાયે યાત્રીઓ આવી તીર્થભૂમિમાં આવી જીવનશુદ્ધિ કરી જતા ને પિતાને અનુભવ ચિરંજીવ બનાવી રાખવા તેનાં વર્ણન આલેખતા. આ રીતે અનેક યાત્રી-કવિઓએ તીર્થકો ને તીર્થમાળાઓ લખી એ ઉદેશની પરંપરાને આજ સુધી જાળવી રાખી છે. આ વર્ણનગ્રંથે આજે ઈતિહાસની મહામૂલી વિગતો પૂરી પાડતા આપણુ ગૌરવને નિધિ બની રહ્યા છે. એ વર્ણનમાંથી કયા તીર્થો ક્યાં હતાં, કેવી દશામાં હતાં, કેટલાં જિનમંદિર હતાં, તેમાં કેટલી મતિઓ હતી, તેને બંધાવનાર ને તેની પ્રતિષ્ઠા કરનાર કેણું પુણ્યપુરૂષ હતા વગેરે માહિતી સાંપડે છે. ને આપણું તીર્થોના વિકાસને ઈતિહાસ પૂરો પાડે છે. એ વર્ણનમાં આલેખેલ અષ્ટાપદ જેવાં તીર્થોને આજે પત્તો નથી, જ્યારે શ્રાવસ્તિ, મિથિલા, કેશાબી, ભજિલપુર, પુરિમતાલ, અહિછત્રા, તક્ષશિલા, વીતમયપત્તન, કાંગરા, બદ્રી પાર્શ્વનાથ, ઉદયગિરિ, જગન્નાથપુરી કે દ્વારકા જેવાં તીર્થો વિચ્છેદ પામ્યાં છે કે બીજા ધર્મવાળાઓએ હાથ કરી લીધો છે એની જાણ આજની પરિસ્થિતિ જોઈને થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org