________________
૪૨. દિલ્હી - પ્રાચીન કાળથી ભારતના પાટનગર તરીકે દિલ્હી શહેર પ્રસિદ્ધ છે. પાંડવેના સમયમાં આ નગર ઇંદ્રપ્રસ્થ નામે ઓળખાતું હતું. ત્યારપછી અહીં કેટલાયે રાજાઓ આવ્યા ને ગયા. એ સૌની સાક્ષી આપતું આ નગર મોગલના જમાનામાં જે રીતે વસ્યું છે એ સ્વરૂપમાં આજે જોવાય છે. - દિલ્હીના રાજવીઓએ જેનાચાર્યોને સંપર્ક સાધ્યું હતું એ બહુ પ્રસિદ્ધ વાત છે. એ સમયે અહીં જૈનોની વસ્તી ભરપુર હતી. શ્રીજિનચંદ્રસૂરિ, શ્રીજિનમાણિજ્યસૂરિ જેવા સમર્થ સૂરિપંગ અહીં પધાર્યા હતા, એવા ઉલ્લેખ મળી આવે છે. મોગલના જમાનામાં તે ઉપા. શ્રી શાંતિચંદ્રજી, ભાનચંદ્રજી, સિદ્ધિચંદ્રજી જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ વગેરેએ અહીં જૈનધર્મની મહત્તા અને ખ્યાતિ વધારી હતી. એ પ્રાચીન કાળે અહીં અનેક જૈન મંદિર હતાં. કહેવાય છે કે કેટલાંક મસ્જિદમાં પરિવર્તન પામ્યાં અને કેટલાંક ભૂગર્ભમાં ભળી ગયાં. આજે અહીં ચાર જેન મંદિરે હયાત છે.
(૧) નવઘરામાં શ્રીસુમતિનાથ ભગવાનનું મંદિર મેટું છે. આ મંદિરમાં સુંદર ચિત્રકામ કરેલું છે. સ્ફટિકની પ્રતિમા પણ તેમાં વિરાજમાન છે. આ સિવાય (૨) શ્રીસંભવનાથ ભગવાનનું, (૩) શ્રી શાંતિનાથ ભગવાનનું અને (૪) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથભગવાનના મંદિરે દર્શનીય છે. લાલા હજારીમલને ત્યાં બે ઘરદેરાસરે છે. અહીં બે દાદાવાડીઓ પણ છે. ત્રણ જૈન ધર્મશાળા અને શ્રાવકનાં લગભગ ૧૦૦ ઘર વિદ્યમાન છે.
અહીં જોવાલાયક અનેક સ્થળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org