________________
પરિશિષ્ટ : પહેલું
રત્નપુરીઃ
સં. ૧૯૯૮ માં જ્યારે પૂજ્યપાદ ગુરુદેવ શ્રીવિજયધર્મ સૂરીશ્વરજી મહારાજ રત્નપુરીમાં પધાર્યા એ સમયે અહીં મેળો ભરાયે હતે. માંસાહારી લેકે આ સ્થળે માંસ માટી વગેરે વેચતા હતા, અને પંખીઓ એના ટુકડા લાવીને દેરાસર ઉપર નાખતા હતા. એ સમયે પૂજ્ય ગુરુદેવે ત્યાંના અધિકારીને મળીને માંસાહારીઓની દુકાને દૂર કરાવવા પ્રયત્ન કર્યો હતે. આ રીતે ગુરુદેવે અહીં થતી આશાતતાને સદાકાળ માટે રેકાવી દીધી. કલકત્તા:
પૂજ્ય ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરીશ્વરજીએ કલકત્તા નગરમાં પાંચ ગૃહસ્થને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. ગુરુદેવના પ્રયત્નથી “કલકત્તા સંસ્કૃત એસેસીએશન” તરફથી લેવાતી પરીક્ષાઓમાં જૈન ગ્રંથ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની સગવડ કરાવી હતી. એ અધ્યયનકમમાંથી પ્રસાર થયેલા કેટલાયે વિદ્યાથીઓ આજે વ્યાકરણતીર્થ અને ન્યાયતીર્થ ની પદવી પામેલા જોવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org