________________
૧૪૪
પૂ. ભા. જે. તીર્થભૂમિએ હસ્તિનાપુર, નાગાલૅય, નાગસાહંચ, નાગપુર આદિ નામ પ્રસિદ્ધ છે. હસ્તિ, ગજ. અને નાગ–બહાં હાથીવાચી નામો ઉપરથી હસ્તિનાપુરનાં નામે કલ્પાયાં છે.
“વસુદેવહિંડી ”માં “કુરુજનપદમાં હસ્તિનાપુર નગર છે, તેને રાજા વિશ્વસેન છે”—એ ઉલલેખ મળે છે. આ વિશ્વસેન રાજા સોળમાં શાંતિનાથ તીર્થકરના પિતા હતા.
હસ્તિનાપુર ભાગીરથીના તીરે હોવાનો ઉલ્લેખ વસુદેવહિંડી” અને “વિવિધતીર્થક૫માં આવે છે. પરંતુ આજકાલ મંગાનું વહેણ બદલાઈ ગયું છે. આજે કેટલાંક ઝરણુઓથી બનેલી “બૂઢી ગંગાએ હસ્તિનાપુરની નજીક એક દ્વીપ જે આકાર બનાવી દીધું છે. આ બૂઢીગંગાને સંગમ, તેનાથી ૭માઈલ વર આવેલા ગઢમુકતેશ્વરની પાસેની વર્તમાન ગંગામાં થાય છે.
કહેવાય છે કે, આ ગઢમુકતેશ્વર પ્રાચીન સમયમાં હસ્તિનાપુરનો એક મહેલે હતો. આજે ગંગાએ હસ્તિનાપુરને કેટલેય ભાગ પિતામાં શમાવી દીધું છે.
શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રીઅરનાથ ભગવાનની આ જન્મભૂમિ છે. અહીં તેમનાં ચાર કલ્યાણક થયાં છે.
શ્રી ઋષભદેવ ભગવાનને વરસીતપનું પારણું શ્રોશ્રેયાંસમારે અહીં જે સ્થળે કરાવ્યું હતું ત્યાં માણિક્યમય સ્તર ોિ કરવામાં આવ્યા હતા. આજે પણ દાનની જે પ્રથા ચાલુ રહેલી છે તે આ શ્રેયાંસકુમારથી આરંભ કરાઈ છે એમ કહેવાય છે.
શ્રીમલ્લિનાથ ભગવાન વિહાર કરતા આ ભૂમિમાં પધાર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org