________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ મંદિરની પાસે એક ટેકરી છે, તે તાંબરાના હસ્તક છે. વળી, આ મંદિરની પાસે જ બારસે વિદ્યા ભૂમિપટ્ટી પાંડવામાં છે તે પણ વેતાંબર મંદિરના કબજામાં છે. એક નસિયાજી છે, જેમાં શ્રીષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રીઅરનાથ તેમજ શ્રીમલ્લિનાથ ભગવાનની ચરણપાદુકાઓ વિરાજમાન છે.
વૈશાખ સુદિ ૩ ના રોજ શ્રીશ્રેયાંસકુમારે શ્રી રાષભદેવ ભગવાનને આ સ્થળે ઈશ્નરસનું પારણું કરાવ્યું હતું. વસ્તુતઃ વરસીતપનું પારણું સિદ્ધાચલમાં કરાય છે તેને બદલે આ તીર્થમાં કરાય તે જૈન પર્વનું ઔચિત્ય અને તીર્થમાહાસ્ય જળવાય એવું અમારું માનવું છે.
આ તીર્થને જીર્ણોદ્ધાર કેટલીયે વાર થયો છે. છેલ્લા જીર્ણોદ્ધાર કલકત્તાનિવાસી શેઠ પ્રતાપચંદ પારસાન જોહરીએ કરાવી શ્રીજિનકલ્યાણુસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. નસિયાજીનો જીર્ણોદ્ધાર પાટણનિવાસી શેઠ ભેગીલાલ લહેરચંદ ઉત્તમચંદે કરાવ્યું હતું.
આ તીર્થના વહીવટ માટે એક સમિતિ નિમાઈ છે અને દિલ્હીવાળા શેઠ બાબુમલ જોહરી આ સમિતિને વારંવાર સહાયતા કરતા રહે છે.
અહીં દિગંબર જેનેનું એક મોટું મંદિર છે. લગભગ ૨૦૦ વર્ષ પહેલાં આ બંધાયેલું છે. તેની સાથે એક મોટી ધર્મશાળા પણ છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ગઢમુકતેશ્વરના ગંગાસ્નાનના અવસર પર દિગંબરાને એક મેટે મળે અહીં પ્રતિ વર્ષ ભરાય છે. તેમાં ઘણું યાત્રાળુઓ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org