________________
અહિચ્છત્રા
આ સ્તૂપ ઈ. સ. પૂર્વે આઠમી શતાબ્દીને હેવાનું કહેવામાં આવે છે.
આ સિવાય બીજી પુરાતન સામગ્રીમાં મૂર્તિઓ અને સિક્કા મળી આવ્યા છે, જે ઈ. સ. પૂર્વે ૨૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના સમયના છે. તેમાંથી શુંગવંશી રાજાઓ-અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભાષ, gવમિત્ર, જયમિત્ર, ઇમિત્ર, ફણુનીમિત્ર અને બહસ્પતિમિત્ર વગેરે વગેરે રાજકર્તાઓ થઈ ગયાની હકીકત સાંપડે છે.
ત્રીજી શતાબ્દીના મધ્ય ભાગમાં ગંગવંશી જેન રાજા નામે વિષ્ણુપ અહીં રાજ કરતા હતા. તે પછી ઈ. સ. ૩૩૦ માં બૌદ્ધ રાજા અશ્રુત થોડાં વર્ષો રાજકત હતું. તે પછી મોરધ્વજ (મયુરધ્વજ–રસંભવતઃ મૌર્ય) રાજા થયા. કહેવાય છે કે આ રાજાઓ જેનધર્મ પાળતા હતા.
કુશાન કાળની મૂતિઓ અને પદ્માસને મળી આવ્યાં છે, તેમાંની એક જૈન મૂર્તિને ડાબી બાજુને કેટલાક ભાગ ખંડિત થયેલ છે. આ મૂર્તિ પબાસન સહિત ધ્યાન મુદ્રાએ બેઠેલી છે. પશ્વાસનની બંને બાજુએ એકેક સિંહ ઊભેલા છે. વચમાં ધર્મચક અને તેની આજુબાજુમાં કેટલાંક સ્ત્રીપુરુષ વંદન કરતા ઊભા છે. પદ્માસન ઉપર બ્રાહી લિપિમાં નીચે મુજબના અક્ષરે ઉત્કીર્ણ છે :
सं. १२ ना ४ मास ११ दिवसे इतिशयपूर्वमकोटिगन बामभाडासियानो कुलातो अने उच्चनागरीशाखातो जेनिस्य आर्यपुसिलसय
– સં. ૧૨ ના વરસાદના મહિનામાં અગિયાર દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org