________________
પૂ. ભા. જે. તીર્થભૂમિએ ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિ “વિવિધતીર્થ. કલ્પ “માં પોતાના સમયમાં આ નગરીમાં શું શું વિદ્યમાન હતું તેની નેધ કરે છે: “અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મૂળ ચેત્ય, તેની પાસેના સિદ્ધિક્ષેત્રમાં આવેલું ધરણેન્દ્રપદ્મવાતી યુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બીજું મંદિર,કિલાની પાસે શ્રી અંબાજીની મૂર્તિ, મીઠા પાણીના સાત કુડે, મહાપ્રભાવવાળી ઉત્તરા વાવડી, ધન્વન્તરી કુ, બ્રાડ, નગરીને ફરતે કિલ્લો,સિદ્ધરસ કુપિકાઓ, અનેક પ્રકારની ઓષધિઓના ભંડારસમાં વન-ઉપવન વગેરે વિદ્યમાન હતું.”
આ હેવાલ ઉપરથી જણાઈ આવે છે કે આ નગરીમાં બહુ પ્રાચીનકાળથી જેનેને પ્રભાવ હતે. અહીંથી કેટલીક પુરાતાત્વિક સામગ્રી જડી આવી છે એ પણ આ વાતનું સમર્થન કરે છે:
અહીંના પુરાતન ટીલાનું ખેદકામ કરતાં પૂર્વદિશામાંથી એક જૈન સ્તુપ મળી આવ્યો છે. એ જગાએ પ્રાચીન સમયને એક સ્તંભ પણ છે. તેના ઉપર આ પ્રમાણે લખેલા અક્ષરે વંચાય છે. :
आचार्य इंद्रनंदि शिष्य महादरिपाचमतिराय कोट्टारि .....વગેરે શિલાપટ્ટ ઉપર નવગ્રહનું અંકન છે.
ડે. કુહરરે આ સૂપને બૌદ્ધોને જણાવ્યું હતું પરંતુ મિ. હાલે આ સ્તુપને જેને પુરવાર કરી બતાવ્યો છે, જે સામાન્ય હકીકત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org