________________
૪૦. અહિચ્છત્રા
પ્રાચીન કાળમાં અહિચ્છત્રા નામનાં એક કરતાં વધારે સ્થળે હતા એવું શોધખેળ કરનારા વિદ્વાનોએ નકકી કર્યું છે. “વિવિધતીર્થકલ્પ'માં જણાવ્યા પ્રમાણે કુરુ-જાંગલ દેશમાં અહિચ્છત્રપુર છે જેને જોધપુર રાજ્યના ઉત્તર વિભાગમાં આવેલું હાલનું “નાગોર હોવાનું પં. ગૌરીશંકર ઓઝાઇનું મતવ્ય છે. એ સિવાય સિંધમાં પણ એક અહિચ્છત્રપુર છે. પરંતુ અત્યારે રાહિલખંડના બરેલી જિલ્લામાં આવેલું જામનગર એ જ પ્રાચીનકાળનું પંચાલનું “અહિચ્છત્ર” નગર છે, એવું વિદ્વાનોએ ઠરાવ્યું છે.
આ અહિચ્છ નગરીની ઉત્તરમાં નૈનીતાલ, પૂર્વમાં પીલી ભીંત, દક્ષિણમાં શાહજહાનપુર અને પશ્ચિમમાં શમનગર રાજ્ય આવેલું છે. આ પુરાતન નગર બરેલી જિલ્લામાં એઓનલા’ નામનું ગામ છે, ત્યાંથી ઉત્તરમાં ૮ માઈલ ર રામનગર શહેર છે, ત્યાંથી દક્ષિણમાં ૩ માઈલના વેરાવામાં કેટલાંક ખંડિયે પડયાં છે. આ ખંડિયેરવાળી જગા પ્રાચીન અહિચ્છત્રા તરીકે પુરાતત્ત્વવેત્તાઓએ ઓળખી કાઢી છે.
પ્રાચીન ગ્રંથોમાં આનું અહિત્ર કે અધિક્ષેત્ર નામ ઉલલાખાયેલું જોવાય છે. જેનાના પ્રાચીન સૂત્રગ્રંથે-જ્ઞાતા
૧. નાગરી પ્રચારિણી પત્રિકા ભા. ૨, પૃ. ૩૨૯, ૨. એપીગ્રાફિકા ઈડિકા . ૩. પૃ. ૨૫૩. ૩. વી. સ્મિથઃ અ હિસ્ટ્રી ઓફ ઈલિયા. આ. ૩. પૃ. ૩૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org