________________
૧૪
પૂ. ભા. જે તીર્થભૂમિએ વસ્તુ ન ગણાય. આ અજ્ઞાન આજના વિકસિત અધ્યયન hળમાં તે દૂર થવું ઘટે. વસ્તુતઃ આ બધી સામગ્રીને પરિચય, બૌહ અને વૈદિક મૂર્તિવિધાન શાસ્ત્રના અધ્યયનશીલ સ્થાપત્યકળાના પ્રખર વિદ્વાન દ્વારા આલેખા જોઈએ.
આમ છતાં જેને સ્થાપત્યની લગભગ ૭૦૦ વસ્તુઓ આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી પડી છે. આ અવશે મોટે ભાગે મથુરાના કંકાલી ટીલા, ઉન્નાવ વગેરે સ્થળોમાંથી મળી. આવેલી સામગ્રીને સંગ્રહ છે. જેમાં ઈ. સ. પહેલાંની કેટલીક પ્રાચીન ભવ્ય પ્રતિમાઓ, વિવિધ આયાગ પટે, મંદિરનાં તારણે, ખંડિત મૂર્તિએ, ભગવાન મહાવીરદેવનાં ગર્ભાપહરણ અને આમલકીક્રીડાનાં શીર્ણ ચિત્રો વગેરે જેવામાં આવે છે. વળી, અતિ પ્રાચીન એવી કુશાન અને હવિષ્ણકાલીન લેખાંકિત પ્રતિમાઓ પણ છે, જેમાંની મેટ ભાગે તે ખંડિત છે. આયાગપટ્ટના ૨૫ જેટલા ટુકડાઓ આમાં સંગ્રહાયેલા છે. એક સુંદર આયાગપટ્ટ, જેના ઉપર પ્રાચીન લિપિમાં લેખ કેરાયેલો છે તેમાં જણાવ્યું છે કે, “જેને પિતા સિંહ નામે વણિક છે અને માતાનું નામ કૌશિકી છે, એવા સિંહનંદિકે આ મૂર્તિ પટ્ટ અરિહંતની પૂજા માટે બનાવ્યો છે.” વગેરે એતિહાસિક વસ્તુઓ આમાંથી ઘણી જાણવા મળે છે.
આ સિવાય, મંદિરના શિખરે, શિખર ઉપરના ભાગ, તેરો, શિલાચિત્રો, ઉંબરા, પીઠિકા, સિંહદ્વાર સ્ત વગેરે જઈને જેનેની સ્થાપત્ય કલાના પ્રાચીન અવાચીન કાળના વિકાસ-હાસનું ભાન થઈ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org