SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આવસ્તી પહેલાં એનું પતન થઈ ચૂકહ્યું હતું એમ ચીની પ્રવાસીઓની નોંધ ઉપરથી જાણી શકાય છે. પાંચમી શતાબ્દીના ભારતપ્રવાસી ચીની યાત્રી ફાહિયાને આ નગરીને નાશકારક સ્થિતિમાં જોઈ હતી. ફાહિયાન કહે છે એને સાર એ છે કે, અહીં બુદ્ધવિહાર અને જૈનમંદિર હતાં. અહીં સાધુઓના સંઘ રહેતા હતા. ધર્મશાળાઓ અને યતિઓના આશ્રમ પણ હતા. સાતમી શતાબ્દીના બીજા ચીની યાત્રી હુએનસિંગે આ વગરને વેરાન હાલતમાં જોયું હતું. આ સ્થળને તે જેતવન મોનેસ્ટ્રી” તરીકે પિતાના વિવરણમાં ધેિ છે. પરંતુ ઉપર્યુક્ત મળી આવેલા શિલાલેખેથી અનુમાન કરી શકાય છે કે તે પછી શ્રાવસ્તીને પુનરુદ્ધાર થયે હશે. અને જૈન રાજવીઓના કાળમાં જેનો અભ્યદય થવા માંડ્યો હશે. ચૌદમી શતાબ્દીના “વિવિધતીર્થકલ્પકારે એમના સમયમાં આ નગરીની સ્થિતિ કેવી હતી તેનું વર્ણન કર્યું છે તેને સાર આ છે: “પ્રાચીનકાળની શ્રાવસ્તી આજે મહિ”ના નામે ઓળખાય છે. આજે પણ ગીચ ઝાડીવાળું અને મૂર્તિઓ, દેવકુલિકાઓ તેમજ વિશાળ કિલ્લાથી ઘેરાયેલું મંદિર શોભી રહ્યું છે. તેની પાસે જ મટી શાખાઓ અને પાંદકાંઓની ઘટાથી ઘેઘુર લાલ વર્ણનું અશોકવૃક્ષ ઊભું છે. આ મંદિરના દરવાજા માણિભદ્ર યક્ષના પ્રભાવથી સૂર્ય આથમતાં બંધ થતા અને સવારમાં સૂર્યના ઊગવા સાથે સ્વયં ઊઘડી જતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy