________________
૧ર૬
પૂ. લા. જે. તીર્થભૂમિએ તેમને ટેમરીડ નામના દરવાજાની પાસે, જ્યાં મહેટના કિલો પશ્ચિમ ભાગમાં આવેલ છે તેની નજીક એક જૈન મંદિરનાં ખંડિયેર હાથ લાગ્યાં છે. તેમણે એ મંદિરને જેનેના સંભનાથના મંદિરને નામે ઓળખાવ્યું છે પરંતુ ખરી રીતે એનું નામ સંભવનાથનું મંદિર છે.
આ મંદિર લંબચોરસ ચગાનમાં આવેલું છે. તેને કેટલાક ભાગ લે છે. ઘુમ્મટ આકારનું શિખર આજે પડેલી હાલતમાં છે. તે મંદિરમાં જવા માટે પહાળાં પગથિયાંની હાર ગોળાકારે છે. તેની લંબાઈ ૨૩ ફેટ છે જ્યારે પહોળાઈ ૨૨ ફીટ ૪ ઇંચની છે.
આ મંદિરની ભીંતના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમમાં બે લંબચોરસ ઓરડાઓનો પત્તો લાગ્યો છે. કેટલાંક શિલ્પકામ અખંડ મળી આવ્યાં છે. આ મંદિરની અગિયાર મુતિએ મળી આવી છે, તે પૈકી બે મૂર્તિઓ ઈ. સ. પૂર્વેના સમયની છે અને બીજીમાંથી પાંચ મૂતિઓ જેના ઉપર સં. ૧૧૧૨, ૧૧૨૪, ૧૧૨૫, ૧૧૩૩ અને ૧૧૮૨ ના એટલે બારમી શતાબ્દીના લેખે મળી આવે છે.
ઈ. સ. પૂર્વેના સમયની શ્રી ઋષભદેવ ભગવાનની મૂતિ શિલ્પકળાની દષ્ટિએ ધ્યાન ખેંચે એવી છે. આ મૂતિ વેરા પીળા પથ્થરમાં કરાયેલી છે. આ મૂર્તિ પરિકર સહિત પાસનમાં ધ્યાનમુદ્રાએ બેઠેલી છે. મૂર્તિના મસ્તકના વાળ સીધી લીટી જેવા હારવાળા છે. બંને બાજુના ખભા ઉપર માથાના વાળને ગુરછા લટકે છે. કાન મેટા આકારમાં છે.
મૂર્તિના પદ્માસનના ભાગમાં બંને બાજુએ બે સિહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org