________________
૧૨૪
પૂ. ભા. જે. તીર્થભૂમિઓ છે ને એમાંથી એક બારી વાટે મંદિરના ચોગાનમાં જવાય છે. વચ્ચે સમવસરણના ત્રણ ગઢની માફક ત્રણ પગથાર પર આ મંદિર નાજુકતાને અંબાર ધરી ઊભું છે. તેમાં કેવલજ્ઞાન કલ્યાણકની પાદુકા પધરાવેલી છે. તેની સામે જિનમંદિર છે. તેમાં પાર્શ્વનાથ ભગવાનની શયામવણી પ્રતિમા છે અને તેની આસપાસ ભ. ધર્મનાથ, અને ભ. અરનાથ વગેરેની પ્રાચીન ભવ્ય મૂર્તિઓ થાપન કરેલી છે. મંદિરની મધ્ય વેદિકામાં કેવળજ્ઞાન કલ્યાણકની સ્થાપના છે. તે દક્ષિણ દ્વાર સામે આરસની સુંદર છત્રીવાળું દેવાલય છે જેમાં ઋષભદેવ ભગવાનની મૂર્તિ પિણા બે હાથ જેવડી બિરાજે છે. એ સિવાય બીજી સાત પ્રાચીન મૂર્તિઓ છે.
ચારે ખૂણામાં ચાર દેરીઓ છે. તેમાં અગ્નિખૂણાની દેરીમાં શ્રીધર્મનાથ ભગવાન અને મહાવીર સ્વામીનાં પગલાં છે. નિત્ય ખૂણાની દેરીમાં શ્રીધર્મનાથ ભગવાનનાં ચ્યવન કલ્યાણ કની સ્થાપના છે. વાયવ્ય ખૂણાની દેરીમાં તેમના જન્મ કલયાણુકની સ્થાપના છે.
મંદિર ઘણું પ્રાચીન છે. હમણું જ તેનો જીર્ણોદ્ધાર થયે છે.
૩૮. શ્રાવસ્તી सुश्रावकाच्या श्रावस्ती विद्यते भुवि विश्रुता। नगरी यत्पुर- स्वर्गिनगरी न गरीयसी ॥
જૈન શ્રાવકોથી ભરચક જે શ્રાવસ્તી નગરી આગળ અલકાપુરી પણ કંઈ લેખામાં નહતી એવા ઐશ્વર્ચમાં રાચતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org