________________
૩૬. ફેરબાદ અયોધ્યાથી ૪ માઈલ દૂર ફેજાબાદ નામે જિલ્લાનું મોટું ને મુખ્ય શહેર છે.
શહેરના મધ્ય ભાગમાં નાનું પણ સુંદર વેતાંબર જૈન મંદિર બાબુ મેતીચંદજી નખતે બંધાવેલું છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજે છે.
- જિનાલયની પાસે જ એક જગામાં નાની વેતાંબર જૈન, ધર્મશાળા આવેલી છે. અહીંનું મ્યુઝિયમ ખાસ જોવાલાયક છે. તેમાં ઘણું જૈન મૂર્તિઓ છે.
અહીંથી શ્રાવસ્તી નગરી ૬૯ માઈલ દૂર છે. તેના ખાદકામમાંથી જે મૂર્તિઓ વગેરે મળી આવી તે આ મ્યુઝિયમમાં મૂકેલી છે. શ્રાવસ્તીના એક જૈન મંદિરની પરિક્રરવાળી મૂર્તિ આ મ્યુઝિયમમાં જોવાય છે. અહીં જેની વસ્તી નથી.
૩૭. રત્નપુરી કેજાબાદથી પાંચ કિસ અને સેહાવલ સ્ટેશનથી ૧૧ માઈલ દૂર રત્નપુરી નામનું જૈન તીર્થ આવેલું છે. આજકાલ આ ગામને નૌરાઈ (રૂનાઈ) નામે લેકે ઓળખે છે..
ગામને વટાવી દેતાં એક પાંચેક વીઘાના ઘેરાવામાં કિલાવાળું સુંદર સ્થાન નજરે પડે છે. તે જ પંદરમા તીર્થંકર શ્રીધર્મનાથ ભગવાનનાં ચાર કલ્યાણકાનું સ્મરણ આપતું ધામ છે. આસપાસ ગીચ ઝાડી અને આંબાવાડિયાથી આ સ્થળની રમણીયતા કુદરતે વધારી દીધી છે. પ્રથમ ધર્મશાળા આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org