________________
૨૨
પૂ. ભા. જે તીર્થભૂમિએ આ અષ્ટાપદાવતાર તીર્થ ચંપાપુરીથી ૧૨ા માઈલ પશ્ચિમે સુલતાનગંજ નામના શહેર પાસે છે. અગાઉએ ચાડનામે જાણીતું હતું અને જ્યાં ગંગા નદીને વિશાળ પટ પથરાયેલ છે તેની વચ્ચે ઊંડાણુ જગામાં એક સુંદર નાની પહાડી ઉપર નાજુક જિનમંદિરની રચના કરવામાં આવી છે. નદીને ખાઈ અને પહાડીને અષ્ટાપદનું આબેહૂબ રૂપ આપી સજાવેલી આ રચના અષ્ટાપદ-અવતારને સાર્થક બનાવતી હતી. તેમાં ભગવાન રાષભદેવની મૂર્તિ હતી પણ આજે તો એ મંદિરમાં મહાદેવની મૂર્તિ પધરાવેલી છે. ત્યાં નાવમાં બેસીને જઈ શકાય છે.
આ જૈન મંદિર કયારે શિવ મંદિર બન્યું તેને ઈતિહાસ જાણવા મળતું નથી પણ ૧૮ મા સૈકાના જેન યાત્રી શ્રી સૌભાગ્યવિજયજીએ આ સ્થળનું જૈન તીર્થરૂપે વર્ણન આપેલું છે ? “ગંગાજીના મધ્ય ભાગે રે, એક ડુંગરી દીસે ઉદાર રે, તિહાં દેવી એક પવિત્ત રે, પ્રતિમા જિન પ્રથમની નિત ૨ કહે અષ્ટાપદની રીત રે, ગંગા મધ્ય થઈ એ પવિત્ત છે.”
એટલે આ તીર્થ અઢારમા સૈકા સુધી બરાબર જેનેના કબજામાં જળવાયેલું હતું. આ રીતે અષ્ટાપદ તીર્થ તે વિચ્છેદ પામ્યું હતું પણ આપણે બેકાળજીથી અષ્ટાપદાવતાર પણ આપણા હાથમાંથી ચાલ્યું ગયું એ ઓછી કમનસીબ બીના નથી. આ અષ્ટાપદાવતારનું ચિત્ર લખનૌની દાદાવાડીમાં છે અને એ જ ચિત્ર બંગાલી સુપ્રસિદ્ધ “પ્રવાસી” માસિકના મુખ પૃષ્ઠ ઉપર એક વખત અંકિત થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org