________________
અષ્ટાપદ
૧૨૧ અને સરોવરોથી ભરચક છે. પંખીઓ સિવાય કોઈ માનવ પ્રાણુને ત્યાં સંચાર થતો જોવામાં આવતું નથી. એની નજીકમાં માનસરોવર છે.
જૈન કથા પ્રમાણે રાષભદેવ ભગવાન અને તેમના બાહુબલી વગેરે ૯૯ પુત્ર–એ રીતે ૧૦૮ મનુષ્યોએ એક જ સમયે એ પર્વતમાં નિવાણ પ્રાપ્ત કર્યું. એનું સ્મરણ જાળવવા ત્યાં ત્રણ સ્તૂપની રચના એ સમયે થઈ હતી. ભરત ચક્રવતીએ સિંહનિષદ્યા નામને પ્રાસાદ આ સ્થાને બંધાવ્યા હતા. આ મંદિર વિશાળ, ભવ્ય અને રમણીય હતું. કહે છે કે, આ મંદિરની રક્ષા માટે સગર ચક્રવતીના સાઠ હજાર પુત્રાએ અષ્ટાપદની આસપાસ ખાઈ બેદીને ગંગાને પ્રવાહ તેમાં વાળે. એ ખાઈ એવડી મટી બની કે સાધારણ મનુષ્ય ત્યાં જઈ શકતે નહિ અને તેથી ધીરે ધીરે એ તીર્થ સહુને અગમ્ય બન્યું.
અષ્ટાપદ તીર્થ ઉપર ભરત ચક્રવર્તી વગેરે અનેક મુનિરાજે નિર્વાણ પામ્યા છે અને તેથી એ તીર્થને મહિમા પૂબ વધેલો છે. ભગવાન મહાવીર સ્વામીએ આ તીર્થની મહત્તા ગાતાં પર્ષદામાં જાહેર કર્યું કે જે માણસ લબ્ધિવડે આ તીર્થની યાત્રા કરે છે એ જ ભવે મોક્ષે જાય.
આટલા વર્ણન ઉપરથી જ આ અષ્ટાપદ તીર્થની મહત્તા જાણી શકાય છે.
આજે તે આ તીર્થના વર્ણન સિવાય એ તીર્થને જેવા જાણવાનું કોઈ સાધન નથી. પરંતુ જાણે એ તીર્થનું દર્શન કરાવી સમાધાન આપવું હોય એમ કે જેનાચાર્ય એક તીર્થની રચના કરવી જેનું નામ અષ્ટાપદાવતાર રાખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org