________________
૧૨૭
પૂ. ભા. જે. તીર્થભૂમિએ તીર્થધામ આવેલું છે. કોટની મધ્યમાં શ્રી અજિતનાથ ભગવાનનું દેવાલય નવા સ્વાંગમાં શિખર અને ભૂમિગ્રહથી શોભી રહ્યું છે. સામે સમવસરણના આકારની દેરીમાં શ્રીચંદ્રપ્રભુ અને શ્રી અજિતનાથપ્રભુ બિરાજે છે. ખૂણા પરની દેરીઓમાંથી પાદુકા અને બિંબો લાવીને અહીં તેમજ મૂળ મંદિરમાં પધરાવ્યાં છે. શ્યામવર્ણ સાત પાદુકાઓમાં–ચાર–ચાર, પાંચ-પાંચ જે પગલાં આલેખ્યાં છે, જે પાંચે ભગવાનનાં મળીને ૧૯ કલ્યાણકનું સ્મરણ કરાવે છે. અહીં ચાર દેવીએની સુંદર મૂર્તિઓ છે. ભેચરામાં પબાસન અને દાદાજીની પાદુકા છે. મંદિરનો જીર્ણોદ્ધાર થયું છે. પાસે વેતાંબર ધર્મશાળા છે. અહીં દિગંબર મંદિર અને દિગંબર ધર્મશાળા વગેરે છે. જેની ખાસ વસ્તી નથી.
૩૫. અષ્ટાપદ
અષ્ટાપદ તીર્થ ક્યાં આવ્યું તેને આજે પત્તો નથી. પણ આપણા શાસ્ત્રોમાં આ તીર્થને મહિમા પૂબ ગવાય છે. “વિવિધતીર્થક૯૫માં આ તીર્થ વિશે માહિતી આપી છે. તેને ટૂંકમાં જોઈ લઈએ:
અધ્યા નગરીથી બાર એજન દૂર કૈલાસના બીજા નામથી ઓળખતે અષ્ટાપદ પર્વત આવેલ છે તેમાં આ તીર્થ છે. એ પર્વત આઠ જન ઊંચો અને સફેદ શિલાઓથી ધવલગિરિ તરીકે પણ પ્રસિદ્ધ છે. કવિ કહે છે કે, અયોધ્યાના સીમાડે વૃક્ષ ઉપર ચડીને જોઈએ ત્યારે વચ્છ આકાશમાં ધવલ શિખરનું દર્શન થાય છે. એ આખાયે પ્રદેશ ઝાડી, ઝરણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org